ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 247 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 11 લોકોનાં મોત થયા છે. એકલા અમદાવાદમાં 197 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત કેસનો આંક 3548 પર પહોંચ્યો છે અને કુલ મૃત્યુઆંક 162 થયો છે


રાજ્યમાં જે નવા 230 કેસ નોંધાયા છે, તેમાંથી અમદાવાદમાં 197 કેસ, સુરતમાં 30, આણંદ-2, બોટાદ 1,ડાંગ 1,ગાંધીનગર 5,જામનગર 1,પંચમહાલ 3,રાજકોટ 1 અને વડોદરામાં 6 કેસ નોંધાયા છે.



આજે જે 11 લોકોના મોત થયા છે. તેમાં પાંચ મોત અમદાવાદમાં થયા છે. એક વડોદરા અને ચાર મોત સુરતમા થયા જ્યારે એક મોત બનાસકાંઠામાં થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 3548 કેસ નોંધાયા છે, જેમાંથી 31 દર્દી વેન્ટિલેટર પર છે, મૃત્યુઆંક 162 પર પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 81 લોકો કોરોનાના ભરડામાંથી બહાર આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 394 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.