સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે અનેક મંદિરો હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ શ્રાવણ મહિનામાં ભક્તોના પ્રવેશ પર પણ કેટલાક મંદિરોએ પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે સુરેન્દ્રનગરના પ્રસિદ્ધ અને માલધારીઓના આસ્થાના કેન્દ્ર એવા દૂધરેજ વડવાળા મંદિર ખાતે કોરોના મહામારીને કારણે તમામ મહોત્સવ બંધ રાખવામાં આવ્યા છે.


ભારતભરના રબારી સમાજના ગુરૂ ગાદી દુધરેજ વડવાળા મંદિરે મહત્વનો નિર્ણય લીધો છે. શ્રાવણ સુદ ૨, શ્રાવણ સુદ-૧૫ તથા જન્માષ્ટમી મહોત્સવ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. પૂજન, મેળા, મહોત્સવ,પ્રસાદ સહિત તમામ મંદિરના ધાર્મિક કાર્યક્રમો બંધ રહેશે.