રાજ્યમાં સસ્તા અનાજના લાભાર્થીઓની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. મળતી જાણકારી અનુસાર, સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ KYC મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો હતો. પ્રશ્નોનો ઉકેલ ના આવતા અનાજનું વિતરણ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ કહ્યું હતું કે છ મહિના બાદ પણ કેવાયસીનું પણ વળતર આપવામાં આવ્યું નથી. KYCનું 25 રૂપિયા વળતર ચુકવવાની માગણી કરવામાં આવી રહી છે.
પહેલી જૂનથી સસ્તા અનાજની દુકાનો પર અનાજનું વિતરણ કરવામાં આવશે નહીં. વિવિધ પ્રશ્નોનો ઉકેલ ન આવતા સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ વધુ એકવાર સરકાર સામે મોરચો માંડ્યો છે. દુકાનદારોને પડતી મુશ્કેલી મુદ્દે ફેર પ્રાઈસ શોપ એન્ડ કેરોસિન ડિલર્સ એસોસિએશનની બેઠક મળી હતી. દુકાનદારોનો આરોપ છે કે, KYC માટે દુકાનદારો પર દબાણ લાવવામાં આવે છે. 6 મહિના વિત્યા હોવા છતાં KYCનું વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી. પાંચ રૂપિયાના બદલે 25 રૂપિયા મહેનતાણુ આપવાની માંગણી છે. જેને લઈને દુકાનદારોએ પહેલી જૂનથી અનાજનું વિતરણ ન કરવાની જાહેરાત કરી છે. રાજ્યની 17 હજારથી વધુ સસ્તા અનાજની દુકાનો પર અનાજનું વિતરણ કરવામાં આવશે નહીં.
સરકારે રેશનકાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાથી મોટા ભાગના લોકોને લાભ થવાની અપેક્ષા છે. ખાસ કરીને આ યોજના એવા પરિવારો માટે સૌથી વધુ ફાયદાકારક છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી. કારણ કે આમાં અનાજની સાથે ગરીબ પરિવારોને દર મહિને 1,000 રૂપિયા પણ આપવામાં આવશે.
આ યોજનાનો ઉદ્દેશ્ય માત્ર ગરીબ પરિવારોને મફત રાશન પૂરું પાડવાનો નથી પણ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક મદદ પૂરી પાડવાનો પણ છે. આ યોજનાનો લાભ ફક્ત તે લોકોને જ મળશે જે સરકાર દ્વારા નક્કી કરાયેલા માપદંડોને પૂર્ણ કરશે.
આ યોજનાનો લાભ લેવા માટે સૌ પ્રથમ તમારે રેશનકાર્ડ ધારક હોવું જરૂરી છે. આ ઉપરાંત, તમારી વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ અને રેશન કાર્ડ KYC કરાવવું જોઈએ. આ યોજનામાં દરેક લાભાર્થીને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ, દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને 1,000 રૂપિયાની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે જેથી આ યોજનામાં પારદર્શિતા જળવાઈ રહે.
તમે કેવી રીતે અરજી કરી શકો છો
જો તમે સરકારની આ યોજનાનો લાભ લેવા માંગતા હો અને તમે બધા માપદંડો પૂર્ણ કરો છો, તો તમે રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠા વેબસાઇટની મુલાકાત લઈને તેના માટે અરજી કરી શકો છો. આમાં અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. અરજી કરવા માટે રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
અરજી કરવા માટે રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠાની વેબસાઇટની મુલાકાત લો. રેશન કાર્ડ નવી યોજના 2025 માટે અરજી કરો લિંક પર ક્લિક કરો. રેશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરો, દસ્તાવેજો અપલોડ કરો. આ પછી ફક્ત ફોર્મ સબમિટ કરો. માહિતી અનુસાર, આ યોજના 1 જૂન, 2025 થી શરૂ થશે.