રાજ્ય સરકારના પ્રતિબંધ બાદ ઓગસ્ટ મહિનામાં આવનારા કયા-કયા તહેવારોની ઉજવણી નહીં કરી શકાય ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Aug 2020 05:07 PM (IST)
કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સરકારે ઓગસ્ટ મહિનામાં આવનારા તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે.
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક કેસો 1 હજારથી વધુ નોંધાઈ રહગ્યાં છે. ત્યારે રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે ઓગસ્ટ મહિનામાં આવનારા તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે શોભાયાત્રા, લોકમેળા, પદયાત્રા, તાજીયા પર પ્રતિબંધ લગાવ્યો છે. રાજ્ય સરકારના પ્રતિબંદ બાદ ચાલુ માસમાં આવતા તહેવારો જેવા કે જન્માષ્ટમી, પર્યુષણ ,અમાસનો મેળો, તરણેતરનો મેળો, મોહરમ, ગણપતિ ઉત્સવ, ભાદરવી પૂનમનો મેળો સહીતના તમામ તહેવારો અને લોક મેળાઓ નહિ ઉજવાય.