આણંદઃ આણંદ જિલ્લામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર મચી ગઇ છે. પિતા અને બે માસૂમ દીકરીઓના મોત થયા હતા. આ ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.


પ્રાથમિક જાણકારી અનુસાર પિતાએ બે દીકરીઓની હત્યા કર્યા બાદ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે. જો કે હત્યા કે આત્મહત્યા તેનું કારણ હજુ પણ અકબંધ છે. આણંદ ટાઉન પોલીસ હાલ તો ઘટના સ્થળે પહોંચી છે અને ત્રણેય મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે હૉસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.


આણંદમાં 17 વર્ષીય છોકરાને 25 વર્ષીય યુવતી ભગાડી ગઇ હતી


મહત્વનું છે કે આ અગાઉ આણંદની 25 વર્ષીય યુવતીને 17 વર્ષીય છોકરા સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. તેમજ આ છોકરાને પ્રેમજાળમાં ફસાવીને યુવતી ભગાડી ગઈ હતી. જોકે, છોકરાના પરિવારે આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે મોબાઇલ લોકેશનને આધારે બંનેને સુરતથી ઝડપી પાડ્યા હતા. પોલીસે યુવતી સામે પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.  આંકલાવ તાલુકાની 25 વર્ષીય યુવતી નર્સરીમાં કામ કરતી હતી, ત્યારે 17 વર્ષીય છોકરાના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. દરમિયાન ગત 1 જૂને લગ્નની લાલચ આપીને છોકરાને ભગાડી ગઈ હતી. યુવતી ઘરેથી 7 હજાર, જ્યારે યુવક ઘરેથી 5 હજાર રૂપિયા લઈને નીકળી ગયો હતો. 


તેઓ આણંદથી ભાગીને સુરત આવી ગયા હતા. તેમજ સુરતના વરાછા વિસ્તારમાં ઘર ભાડે રાખીને રહેતા હતા. યુવતી ઘરે જ રહેતી હતી. જ્યારે યુવક એક અઠવાડિયાથી નોકરી પર લાગી ગયો હતો. રૂપિયા બે હજારના ભાડેથી રૂમ રાખી હતી. તેમજ 6 હજાર એડવાન્સ ભાડુ પણ ચૂકવી દેવાયું હતું. આ ભાડું યુવતીએ ચુકવ્યું હતું.


બીજી તરફ છોકરાના પરિવારની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે મોબાઇલ ફોનની કોલ-ડિટેઇલ અને લોકેશનને આધારે તપાસ કરતાં બંને સુરતના વરાછા ખાતેથી મળી આવ્યા હતા. હાલમાં પોલીસે બંને જણાને પોલીસ નજર હેઠળ આંકલાવ પોલીસ સ્ટેશનમાં કેદ રાખ્યાં હતાં.