તળાજામાં મોડી રાત્રે ફાયરિંગ, પિતા-પુત્ર સહિત ત્રણના મોત
abpasmita.in | 10 Oct 2016 07:33 AM (IST)
ભાવનગર: તળાજામાં પાવઠી રોડ ઉપર આવેલી સોસાયટીમાં રવિવારે મોડી રાત્રે બે જૂથ વચ્ચે જૂની અદાવતે અથડામણ થતા ખાનગી ફાયરિંગમાં પિતા અને બે પુત્રો સહિત કુલ 3ના મોત થયા છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ તળાજાની ખોજા સોસાયટીમાં રહેતા બે જૂથ વચ્ચે જૂની અદાવતની દાઝ રાખી રવિવારે મોડી રાત્રે અથડામણ થતા પ્યારઅલી અલારખભાઈ માધવાણી અને તેના પુત્રો ઉપર ગુલુભાઈ ભુરાણી અને તેના સંતાનો અને પરિવારજનો દ્વારા ઉશ્કેરાઈ જઈ ફાયરિંગ કર્યુ હતું. હથિયારો સાથે હુમલો કરતા 60 વર્ષીય પ્યારઅલી અલારખભાઈ માધવાણી અને તેના બે સંતાન અલી હુસૈન પ્યારઅલી માધવાણી (ઉં.વ.25) અને અબ્બાસઅલી પ્યારઅલી માધવાણી (ઉં.વ.24)ના મોત નિપજ્યા હતા. જ્યારે મહેંદી મહમદઅલી માધવાણીને ઈજા થઈ હતી.