સુરત બાદ હવે જૂનાગઢમાંથી પણ સ્કૂલોમાંથી કોરોનાના કેસ સામે આવ્યા છે. કેશોદના મેસવાણ પ્રાથમિક શાળામાં ત્રણ બાળકો કોરોના સંક્રમિત થયા છે. જેથી શાળા 16 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તો આ તરફ કોરોના પોઝિટીવ વિદ્યાર્થીઓને હોમ ક્વોરંટાઈન કરવામાં આવશે. જો કે સ્કૂલ તો બંધ રહેશે પરંતુ ઓનલાઈન શિક્ષણ કાર્યરત રહેશે. આ પહેલા સુરતમાં પણ અલગ અલગ સ્કૂલોમાંથી કોરોનાના કેસો સામે આવ્યા હતા.


ગુજરાતમાં કોરોના કેસ


ગુજરાતમાં ગઈકાલે કોરોનાના નવા 21  કેસ નોંધાયા છે. તો બીજી તરફ  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,890 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી ગઈકાલે એક પણ  મોત થયું નથી જે રાહતના સમાચાર છે.  ગઈકાલે  3,74,745 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 186 કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 178 નાગરિકો સ્ટેબલ છે. 8,15,890 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10086 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, નવસારી 3, સુરત 3, જૂનાગઢ 2,  સુરત કોર્પોરેશનમાં 2, ખેડા 2, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા 1, વડોદારા કોર્પોરેશન 1 અને વલસાડમાં 1  કેસ નોંધાયો છે.


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 20 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 4829  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 34777 નાગરિકોને રસીનો પ્રથમ અને 73156 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 106631 નાગરિકોને રસીનો પ્રથમ અને 155332 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,74,745 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,54,01,063 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


અમદવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન,  જૂનાગઢ કોર્પોરેશન,  કચ્છ, મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપીમાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.