અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલનો આજે જન્મદિવસ છે. આજે તેમણે જન્મદિવસના અવસર પર સોમનાથ મહાદેવના ઓનલાઈન દર્શન કર્યા હતા. જાએ તેમણે ઇ-મહાપૂજા, આયુષ્ય મંત્ર જાપ, મહામ્રુત્યુંજય પૂજા કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા.


કેશુભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. આજે જન્મદિવસે તેમણે ગાંધીનગર ખાતે પોતાના ઘરેથી વીડીયો કોલીંગના માધ્યમથી ઇ-મહાપૂજા, આયુષ્યમંત્ર જાપ, મહામ્રુત્યુંજય જાપ પૂજાનો ઇ-સંકલ્પ કરેલ. આજે કેશુભાઈ પટેલે 93માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.



કેશુભાઈ પટેલનો 24 જુલાઈ, 1928ના રોજ જન્મ થયો હતો. તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે બે વખત, માર્ચ ૧૯૯૫ થી ઓક્ટોબર ૧૯૯૫ અને માર્ચ ૧૯૯૮ થી ઓક્ટોબર ૨૦૦૧ સુધી પદ પર રહ્યા હતા.