= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દેશનો સિંદૂરીયા મિજાજ યથાવત રહેશે: PM મોદી પીએમ મોદીએ કહ્યું કે, "સિંદૂરીયા મિજાજ યથાવત રહેશે, ઓપરેશન સિંદૂર જનતાના બળથી આગળ વધશે, સૈન્ય બળ અને જનશક્તિથી ઓપરેશન સિંદૂર આગળ વધશે, વિદેશી વસ્તુઓનો ઉપયોગ ન કરો. દુ:ખની વાત તો એ છે કે આપણે ત્યાં ગણપતિની મૂર્તિ પણ વિદેશથી આવે છે. વિદેશી વસ્તુઓ ધરમાં કેટલી છે તેની યાદી બનાવો તો ખ્યાલ આવશે કે આપણે સ્વદેશીને અવગણીને વિદેશી કેટલી વસ્તુનો વધુ ઉપયોગ કરીએ છીએ" . વિદેશી વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા પીએમ મોદીએ અપીલ કરી છે તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર 140 કરોડ નાગરિકોના દીલમાં છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આપણે પાડોશીઓનું સુખ ઈચ્છીએ છીએ પરંતુ....:PM મોદી પીએમ મોદીએ ભારતીય સંસ્કૃતિ વિશે વાત કરતા કહ્યું કે, આપણે પાડોશીઓનું સુખ ઈચ્છીએ છીએ, આ પાકિસ્તાન સાથે પ્રોક્સી વોર નહી યુદ્ધ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આજે દેશમાં 2 લાખ સ્ટાર્ટઅપ છે: PM મોદી ગાંધીનગરમાં સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, દેશમાં 2 લાખ સ્ટાર્ટઅપ છે, નાના-નાના શહેરોમાં સ્ટાર્ટઅપ શરૂ થઈ રહ્યા છે,સ્ટાર્ટઅપનું નેતૃત્વ દીકરીઓ પાસે છે, આવનારા દિવસોમાં ટુરિઝમ પર વધુ ધ્યાન આપવું પડશે."
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભારતની અર્થ વ્યવસ્થા વિશ્વમાં ચોથા નંબરે: PM મોદી ગાંધીનગરમાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, "ભારતની અર્થ વ્યવસ્થા વિશ્વમાં ચોથા નંબરે છે. 2014માં ભારતની અર્થવ્યવસ્થા 11માં નંબરે હતી, આજે ભારતની અર્થવ્યવસ્થા ચોથા નંબરે પહોંચી છે" સિંધૂ જળ સંધિ પર પીએમ મોદીએ કહ્યું કે,હજુ તો કઈ કર્યું નથી અને ત્યાં પાકિસ્તાનનો પરસેવો છૂટવા લાગ્યો છે. પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યાં હતા. કોંગ્રેસે સરદાર પટેલની વાત નહોતી માની ,સરદાર પટેલે કહ્યું હતું કે POKની વાપસી સુધી સેનાને પરત ન બોલાવો, પણ કોંગ્રેસે સરદાર પટેલની વાત ન માની"
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કશ્મીર પર સરદાર પટેલની વાત માનવામાં આવી નહોતી : PM મોદી પીએમ મોદીએ ગાંધીનગરમાં સંબોધન કરતા પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતાવણી આપી છે. તેમણે ક્યું કે. હવે આતંકનો સફાયો થઇને રહેશે. તેમણે ઓપરેશન સિંદુરની વાત કરતા કહ્યું કે, "22 મિનિટમાં આતંકીઓના નવ અડ્ડાઓ નષ્ટ કર્યા છે. હવે અમારે પુરાવો આપવાની જરૂર નથી, પાકિસ્તાન જ પૂરાવા આપે છે,પાકિસ્તાનમાં આતંકીઓના જનાજાને સ્ટેટ ઓનર અપાયું હતુ,પાકિસ્તાની સેનાએ આતંકીઓના જનાજાને સલામી આપી,ગોળીનો જવાબ ગોળાથી આપીશું,આ વખતે તમામ કાર્યવાહી કેમેરા સામે થઈ,ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM MODI Gujarat visit: સિંદૂરી સાગરની ગર્જના દેખાઈ રહી છેઃPM મોદી PM MODI Gujarat visit:પીએમ મોદીએ ગાંધીનગરમાં સંબોધન કરતા પાકિસ્તાનને ખુલ્લી ચેતાવણી આપી છે. તેમણે કહ્યું કે, "આતંકવાદના કાંટાને નીકાળીને જ રહીશું, સિંદૂરી સાગરની ગર્જના દેખાઈ રહી છે, 1947માં મા ભારતીના બે ટૂકડા થયા, ભારતની સેનાએ પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી. પાકિસ્તાનને ખબર છે લડાઈમાં તે ભારતથી જીતી નહી શકે, 75 વર્ષથી આતંકવાદને સહન કરી રહ્યા છે. પહેલા જ મુજાહિદોનો અંત લાવ્યા હોત તો આ દિવસ ન જોવો પડત,એ સમયે સરદાર પટેલની વાત પણ નહોતી સાંભળી,અમે પૂરા વિશ્વને એક પરિવાર માનીએ છીએ, ભારતે 3 વખત પાકિસ્તાનને ધૂળ ચટાવી"
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM Modi Gujarat visit: રોડ શો બાદ પીએમ મોદી કરશે સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે, આજે જિલ્લા પંચાયત કચેરીથી મહાત્મા ગાંધી મંદિર સુધી તેમનો રોડ શો યોજાયો હતો. રોડ શો સમયે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. લોકો તિરંગા સાથે રોડ શોમાં જોડાયા હતા. રો શો બાદ પીએમ મોદી સંબોધન કરશે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM Modi Gujarat visit:ગાંધીનગરમાં પીએમ મોદીનો રોડ શો શરૂ ગાંધીનગરમાં પીએમ મોદીનો રોડ શો શરૂ થયો છે. જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી અઢી કિમીનો રોડ શો યોજાયો છે. PM મોદીની સાથે રોડ શોમાં સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર પટેલ જોડાય છે. ઓપરેશન સિંદૂરના બેનર અને તિરંગા સાથે લોકો ઉમટયાં છે
રોડ-શો બાદ PM વિકાસકાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. 5,536 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત પીએમ મોદીના હસ્તે કરાશે
<
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM Modi Gujarat visit: પ્રવાસનો આજે બીજો દિવસ,જાણો કાર્યક્રમનું શિડ્યુલ PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે PM મોદીનો પાટનગર ગાંધીનગરમાં રોડ- શો છે. જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. 2.5 કિમી લાંબા રોડ- શોમાં જોડાવવા અને પીએમ મોદીની એક ઝલક જોવા જનમેદની ઉમટી છે. ઓપરેશન સિંદૂરના બેનર અને તિરંગા સાથે લોકો ઉમટ્યાં છે. 10:15 ની આસપાસ રોડ શો યોજાશે. બાદ તેઓ અર્બન ડેવેલેમેન્ટના એક કાર્યક્રમમાં હાજરી આપશે , રોડ શો બાદ 5,536 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે. આ દરમિયાન અમદાવાદમાં આસરવાની હોસ્પિટલમાં પણ એક કાર્યક્રમમાં હાજરી આપશે,. 1 વાગ્યે તેઓ દિલ્લી જવા રવાના થશે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM Modi Gujarat Visit Live:શહેરી વિકાસ વર્ષની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે 27 મે મંગળવારનો કાર્યક્રમ
27 મેની સવારે PM મોદી મહાત્મા ગાંધી મંદિર જશે, અહીં શહેરી વિકાસ વર્ષની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે ઉદઘાટન કરશે આ પહેલા જિલ્લા પંચાયત કચેરીથી મહાત્મા મંદિર સુધીનો અઢી કિલોમીટની રોડ શો યોજાશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM Modi Gujarat Visit Live: વડોદરા, ભૂજ અમદાવાદ બાદ ગાંધીનગરમાં કાર્યક્રમ વડોદરા, ભુજ, અમદાવાદ બાદ આજે પીએમ મોદી ગાંધીનગરમાં ભવ્ય રોડ શો કરશે. જિલ્લા પંચાયત કચેરીથી મહાત્મા મંદિર સુધી અઢી કિલોમીટરનો હશે રોડ શો યોજાશે. પીએમની એક ઝલક મેળવવા મોટી સંખ્યામાં લોકો ગાંધીનગરમાં લોકો ઉમટશે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM Modi Gujrat Visit : અસારવા સિવિલ હોસ્પિટલમાં 1800 બેડની હોસ્પિટલના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે આજે પ્રવાસના બીજા દિવસે સાબરમતી રિવરફ્રન્ટના ત્રીજા તબક્કાનું ખાતમુહૂર્ત કરશે. અસારવા સિવિલ હોસ્પિટલમાં 1800 બેડની હોસ્પિટલના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે.યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM Modi Gujarat Visit Live: પ્રધાનમંત્રી મોદીનો આજે પ્રવાસનો બીજો દિવસ, ગાંધીનગરમાં યોજાશે રોડ શો પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ,ગાંધીનગરના મહાત્મા મંદિરથી પાંચસો છત્રીસ કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે .બપોરે 1 વાગ્યે દિલ્લી જવા રવાના થશે