અજમેરઃ રાજસ્થાનના અજમેર જિલ્લાના માંગલિયાવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે એક ખાનગી બસ તથા ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 8 લોકોના મોત અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતો. બસ રાજસ્થાનના જયપુરથી ગુજરાતના રાજકોટ આવતી હતી.


પોલીસને કહેવા મુજબ સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ અજમેર-બ્યાવર વચ્ચે નેશનલ હાઈવે પર લામાના વિસ્તારમાં રોંગ સાઇડમાં આવી રહેલું ટ્રેલર બસ સાથે અથડાયું હતું. જેના કારણે બસમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે 30થી વધારે લોકો ઘાયલ થયા હતા. ઘાયલો પૈકી 12 લોકોની હાલત વધારે ગંભીર હતી.

ઘટનાની જાણકારી મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે જવાહરલાલ નેહરુ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. બસ જયપુરથી રાજકોટ આવતી હતી, જ્યારે ટ્રેલર અજમેર તરફ જતું હતું.