રાજ્યના IAS અધિકારીઓની બદલીનો દોર યથાવત છે. રાજ્યના 6 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જ્યારે 8 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે.  ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓની બદલીનો દોર યથાવત રાખ્યો છે, હાલ ગુજરાતમાં ચૂંટણી આવતા પહેલા જ અનેક વિભાગોમાં બદલી કરવામાં આવી રહી છે.  સરકાર  નાના મોટો તમામ અધિકારીઓની બદલી કરી રહી છે. 




 



ગુજરાત વિધાન સભાની ચૂંટણી પૂર્વે જ રાજ્ય સરકારે અલાગ-અલગ વિભાગોમાં બદલીનો દોર યથાવત રાખ્યો છે.   IAS અધિકારીઓની બદલી થઇ છે.




અધિકારીઓની બદલીમાં આણંદના ડીડીઓ  બી.જી.પ્રજાપતિને જોઈન્ટ મેનેજિંગ ડાયેરેક્ટર તરીકે GIDC ગાંધીનગર બદલી કરવામાં આવી છે.  નર્મદાના ડીડીઓ પી.ડી.પલસાણાની બોટાજ ડીડીઓ તરીકે બદલી કરાઈ છે.  




એ જે અસારીની GSDMAના એડી. CEO તરીકે નિયુક્તી, IAS નેહા કુમારીની દાહોદના ડીડઓ તરીકે બદલી કરાઈ છે.  


ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો


ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો છે.  આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 6097  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 57521 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 248 લોકો વેન્ટીલેટર પર છે. 57273 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1123499 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,614 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 35 લોકોના મોત થયા છે. 



બીજી તરફ આજે 12105  દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 94.28 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  35 મોત થયા. આજે 234350 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1985, વડોદરા કોર્પોરેશનમાં 1215, વડોદરા 197, રાજકોટ કોર્પોરેશનમાં 237,  સુરત કોર્પોરેશનમાં 204,ગાંધીનગર કોર્પોરેશન 203, ખેડા 181, મહેસાણા 173, સુરત 154, કચ્છ 151,  રાજકોટમાં 135, આણંદ 89,  બનાસકાંઠામાં 88, સાબરકાંઠા 80, મોરબી 79,  ભાવનગર કોર્પોરેશનમાં 77,ગાંધીનગર 75, જામનગર કોર્પોરેશન 75, ભરુચ 61, પાટણ 60, તાપી 59, નવસારી 58, પંચમહાલ 54, વલસાડ 42, અમદાવાદ 40, દાહોદ 28, દેવભૂમિ દ્વારકા 21, ભાવનગર 20, અરવલ્લી 19, અમરેલી 18, ડાંગ 18, જૂનાગઢ 17, છોટા ઉદેપુર 14, સુરેન્દ્રનગર 14, ગીર સોમનાથ 13, મહીસાગર 13, જામનગર 11, નર્મદા 9, જૂનાગઢ કોર્પોરેશન 5, પોરબંદર 4 અને  બોટાદમાં 1  કેસ નોંધાયો છે.