ગઈ કાલે સાંજે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પણ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. વઢવાણ ૮૦ ફૂટ રોડ પર રહેતા ૭૯ વર્ષના વૃધ્ધ મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં મહિલા દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી બહારગામની હોવાનું બહાર આવ્યું છે.
સુરેન્દ્રનગરની વાત કરીએ તો ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 31 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે કુલ બે લોકોના કોરોનાથી મોત થયા છે. તેમજ ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધી 23 એક્ટિવ કેસ હતા. જેમાં વધુ ત્રણ કેસ ઉમેરાયા છે.