ગાંધીનગરઃ રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકથી મોતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં વધુ બે વ્યક્તિઓના હાર્ટ અટેકના કારણે મોત થયા છે. રાજકોટ અને વડોદરામાં હાર્ટ અટેકથી બે મોત થયા હતા.


વડોદરામાં 32 વર્ષીય નયન કુમારનુ હાર્ટ અટેકથી મોત થયું હતું. હાર્ટ અટેકના કારણે બેન્ક કર્મચારી એવા નયન કુમારનું હાર્ટ અટેકથી મોત થયું હતું. બાજવા રોડના ગિરિરાજ નગરમાં રહેતા 32 વર્ષીય નયનકુમાર પટેલને દાંડિયા બજાર ચાર રસ્તા પાસે ગભરામણ બાદ વોમિટિંગ થઈ હતી. બાદમાં મિત્રો સયાજી હોસ્પિટલ લઈ ગયા જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું નીપજ્યું મોત નીપજ્યું હતું.


બીજી તરફ રાજકોટના રસુલપુરામાં 50 વર્ષીય આધેડનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું.


બનાસકાંઠાના પાલનપુરમાં ગઇકાલે હાર્ટ અટેકના કારણે 23 વર્ષીય યુવકનું મોત થયું હતું. તે ગાડીમાં નાસ્તો બનાવી પરિવારનું ગુજરાત ચલાવતો હતો. નમન સિસોદિયા નામનો યુવક નાસ્તો વેચતા વેચતા અચાનક ઢળી પડ્યો હતો. જેને પગલે તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.


ગઇકાલે નર્મદાના ડેડીયાપાડાના 28 વર્ષીય યુવક નરેશ વસાવાનું પણ  હાર્ટ અટેકથી મોત થયું હતું. રાજ્યમાં દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે વલસાડ જિલ્લામાં 28 વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. નર્મદાના ડેડીયાપાડાનો  28 વર્ષીય યુવક હોટેલમાં વેઇટરનું કામ કરતો હતો. તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા 108 બોલાવી હતી. જો કે 108 ના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક રીતે હાર્ટ એટેકથી મોતનું તારણ તબીબે વ્યક્ત કર્યું છે. મોતનું સાચું કારણ જાણવા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.


તો બીજી તરફ ભાવનગર, ધોરાજી, સુરેન્દ્રનગર, અમરેલી, મોડાસા, વડોદરામાં હાર્ટ અટેકથી જીવ ગુમાવ્યાના અહેવાલ છે.


અરવલ્લીના મોડાસામાં 55 વર્ષીય નરેશ મહેતાનું હાર્ટ અટેકથી મોત થયું હતું તેઓ  પોસ્ટ ઓફિસનું રીકરીંગ અને એલઆઇસી એજન્ટ તરીકે કામ કરતા હતા. છાતીમાં દુખાવા બાદ તેઓ અચાનક બેભાન થયા હતા અને હોસ્પિટલ પહોંચાડ્યા હતા પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા અને હાર્ટ અટેકથી મોત થયાનું કારણ રજૂ કર્યું હતું