સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં આજે વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. તેની સાથે અત્યાર સુધીનો આંકડો 47 પર પહોંચી ગયો છે. જ્યોતિનગર અને જંબુસર ચોકડી વિસ્તારમાં એક-એક પોઝિટિવ નોંધાયો છે.


ભરૂચ જિલ્લામાં કોરોનાના આજે વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જ્યોતિનગર અને જંબુસર ચોકડી વિસ્તારમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 47 પોઝિટિવ કેસ નોંધાયા છે.

નોંધનીય છે કે, ભરૂચ જિલ્લાના વાલિયા રૂપનગર એસ.આર.પી કેમ્પના ચાર જવાન કોરોના પોઝિટિવ આવ્યા હતાં. અમદાવાદ ફરજ બજાવી પરત ફરેલા જવાનોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. કોરોના પોઝિટિવ જવાનોને સારવાર અર્થે સ્પેશ્યિલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.