Panchmahal News: હાલોલના કોપરેજ ગામ પાસે નર્મદાની માઇનોર કેનાલમાં  ITIમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ ડૂબવાની ઘટના સામે આવી છે. ગઈકાલે હાથ પગ ધોવા ઉતરેલા બે વિદ્યાર્થી ડૂબ્યા હતા. વાઘોડિયા ખાતે આવેલ આઈ.ટી.આઈ.માં અભ્યાસ  માટે જઈ રહેલ બંને વિદ્યાર્થી કેનાલમાં હાથ પગ ધોવા માટે કેનાલની પાળ પાસે ઉતર્યા હતા. તે દરમ્યાન કોઈ કારણસર પગ લપસતાં બન્ને કેનાલમાં ખાબક્યા હતા. બન્ને વિદ્યાર્થીઓ હાલોલ તાલુકાના કંસારાવાવ ગામના હોવાનું અને વાઘોડિયા ખાતે આઇ.ટી.આઇ. કરતા હોવાની માહિતી મળવા પામી છે. વિદ્યાર્થીઓના મૃતદેહને બહાર કાઢવા માટે ગોધરા SDRF ટીમની મદદ લેવાઈ હતી.


અમદાવાદમાં AMTS એ સાઇકલ સવારને કચડતા ઘટના સ્થળે જ મોત


અમદાવાદ: શહેરમાં ફરી એકવાર AMTS બસે યુવકનો જીવ લીધો છે. અમદાવાદ હીરાવાડી ખાતે AMTS બસે સાઇકલ સવારને કચડ્યો છે. સાઇકલ સવારનો માથું કચડાતા મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલા લોકોએ AMTSની બસમાં તોડફોડ કરી હતી. અકસ્માતની જાણ થતા શહેર કોટડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતની ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.




કંડક્ટરના જણાવ્યા મુજબ સવારે બસ સારંગપુરથી ધાર્મિક વર્ધીમાં બજરંગ આશ્રમ ખાતે ગયેલ હતી. 17:15 કલાકે પ્રવાસીને બજરંગ આશ્રમ ઉતારી સાળંગપુર પરત જતા આશરે 17:25 કલાકે અનિલસ્ટાર્ચ ચાર રસ્તા બસની ડાબીબાજુથી આવતા એક સાયકલ ચાલક બસની ડાબીબાજુ અથડાયા બાદ ડ્રાઈવરે બસ અકસ્માત સ્થળથી દૂર લઈ જઈ બાજુ ઉપર મુકી નાસી ગયેલ છે. કંડક્ટરના જણાવ્યા મુજબ સાયકલ ચાલક આશરે.17/18 વર્ષનો યુવક હતો.


સાળંગપુરમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે સ્વામીનારાયણના સંતોની બેઠક મળી હતી. આ બેઠક અંદાજે ત્રણ કલાક ચાલી હતી. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના 6 મુખ્ય મંદિરો અમદાવાદ, ધોલેરા, જૂનાગઢ, ભૂજ, ગઢડા અને વડતાલના 50 જેટલા સંતોની બેઠક મળી હતી. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો પણ હાજર રહ્યાં હતા. આ બેઠક બાદ વડતાલના ડો.સંત વલ્લભ સ્વામીએ મીડિયા સામે નિવેદન આપ્યું હતું. 



ડો.સંત વલ્લભ સ્વામીએ  કહ્યું કે, સાળંગપુર મંદિર ખાતે ચાલતા વિવાદનો સુખદ ઉકેલ લાવવા પ્રયાસ કર્યા છે. આ મામલે સંત સમિતિની નિમણુક કરાઈ છે. સમિતિ ચર્ચા વિચારણાના આંતે નિર્ણય લેવામાં આવશે. જો કે, મહત્વની વાત એ છે કે, 3 કલાકના અંતે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ ભીંતચિંત્રો હટાવવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.  ડો.સંત વલ્લભ સ્વામીએ મીડિયાના એકપણ સવાલનો જવાબ આપ્યો નહોતો. હજુ પણ સળગતો સવાલ એજ છે કે, સાળંગપુર ખાતે લગાવવામાં આવેલા હનુમાનજીના વિવાદિત ચિત્રને ક્યારે હટાવવામાં આવશે.