Weather update:હવામાન વિભાગની આગાહી મુજબ 20 તારીખ સુધી રાજ્યમાં છુટછવાયો કમોસમી વરસાદ પડી શકે છે. કચ્છ સહિતના કેટલા વિસ્તારમાં કમોસમી વરસાદે ચિંતા વધારી છે.


હવામાન વિભાગની આગાહીની અસર પોરબંદરમાં પણ જોવા મળી હતી.આજ સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પોરબંદર જિલ્લ માં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. 20 તારીખ સુધી કમોસમી વરસાદની  આગાહી કરવામાં આવી છે.
જો કમોસમી વરસાદને લઇને ખૂડૂતો ચિંતિત છે. ગુજરાતમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી શરૂ થતાં સવારથી જ કચ્છના અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદી  માહોલ જામ્યો હતો.


કચ્છમાં મોળી રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે તોફાની વાતાવરણ સર્જાયું હતું. નખત્રાણા,અબડાસા, માંડવી મુન્દ્રા, વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા ઝરમર વરસાદ વરસ્યો હતો. કચ્છમાં ભચાઉ, અંજાર, ભૂજના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ઉપરાંત સુખપુર, માનકુવા વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારમાં હવામાનમાં પલટો જોવા મળ્યો.


unseasonal rain: ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યારે વરસશે કમોસમી વરસાદ?


ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની માહોલ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ વરસશે.  આજે સુરત, તાપી, ડાંગ, વલસાડ તો આવતીકાલે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત અને વલસાડ તો 16 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, વડોદરા, સુરત, વલસાડ તો 17 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, અમરેલી, જૂનાગઢ, અરવલ્લી, મહેસાણા, સુરત, વલસાડ, ડાંગ, મહીસાગર  તો 18 માર્ચે અમરેલી, જૂનાગઢ, દાહોદ, ડાંગ, તાપી, વલસાડમાં કમોસમી વરસાદ વરસી શકે છે.


Ambaji Prasad Controversy: અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ રહેશે ચાલુ, સંતો-શ્રદ્ધાળુઓ સામે ઝૂકી સરકાર


Ambaji Prasad Controversy: શક્તિપીઠ અંબાજીમાં એક સપ્તાહથી શરૂ થયેલા મોહનથાળ પ્રસાદના વિવાદનો અંત આવ્યો છે. અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રહેશે. અંબાજી મંદિરમાં પ્રસાદના વિવાદને લઈ રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અંબાજી મંદિરના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં પ્રસાદ ચાલુ રાખવો કે નહીં તે મુદ્દે ચર્ચા થઈ હતી. જે બાદ મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો.


માઈભક્તો અને સંગઠનોની આસ્થાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો


ઋષિકેશ પટેલે જણાવ્યું, અંબાજીમાં પ્રસાદના સ્વરૂપે મોહનથાળ અને ચીકી બંને અપાશે. મોહનથાળના પ્રસાદની ગુણવત્તામાં સુધારો કરાશે. માઈભક્તો અને સંગઠનોની આસ્થાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો છે. મોહનથાળનો પ્રસાદ કોને બનાવવા આપવો તેને નિર્ણય મંદિર ટ્રસ્ટ કરશે. અંબાજી મંદિરના ભટ્ટજીની સરકાર સાથેની બેઠક બાદ નિર્ણય લેવાયો છે.