= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
નીરિક્ષકો આવશે ગુજરાત
નવા મુખ્યમંત્રીના નામ માટે ભાજપનું કેંદ્રીય પાર્લામેંટ્રી બોર્ડ કરશે નીરિક્ષકોની નિમણૂક. નીરિક્ષકો ગુજરાતમાં આવીને કરશે ચર્ચા. ધારાસભ્ય દળની બેઠકમાં નક્કી કરેલા નામનો પ્રસ્તાવ મુક્યા બાદ થશે નવા મુખ્યમંત્રીની નિયુક્તિ.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલનું નિવેદન કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું, ભાજપે માત્ર મુખ્યમંત્રી બદલ્યા છે પરંતુ ગુજરાતની સાડા છ કરોડ જનતાએ સરકાર બદલવાનો મૂડ બનાવ્યો છે. મુખ્યમંત્રીનું રાજીનામું ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માટે લેવામાં આવેલો નિર્ણય છે. પરંતુ સાચુ પરિવર્તન આગામી વર્ષે ચૂંટણી પછી આવશે, જ્યારે જનતા ભાજપને સત્તામાંથી હટાવી દેશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સી.આર પાટીલની પ્રથમ પ્રતિક્રિયા
મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. સી.આર.પાટીલે કહ્યું, હું મુખ્યમંત્રીની રેસમાં નથી. પાર્ટી નક્કી કરશે નામ.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
72 દિવસમાં ભાજપ ત્રીજા રાજ્યમાં CM બદલશે 72 દિવસમાં ભારતીય જનતા પાર્ટી ત્રીજા રાજ્યમાં CM બદલશે, જુલાઈમાં ઉત્તરાખંડ, કર્ણાટકના CMના રાજીનામાં લેવામાં આવ્યા હતા. હવે ગુજરાતમાં પણ રૂપાણીને ખસેડી નવા ચહેરાની શોધ કરવામાં આવી રહી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો દૌર યથાવત
મુખ્યમંત્રી વિજય રુપાણીના રાજીનામા બાદ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો દૌર યથાવત છે, નીતિન પટેલ, મનસુખ માંડવીયા,ચુડાસમા, પ્રદીપસિંહ પહોંચ્યા કમલમ, CR પાટીલ, ભુપેન્દ્ર યાદવ કમલમ ખાતે હાજર છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કાલે ભાજપે ધારાસભ્ય દળની બેઠક બોલાવી
આવતી કાલે નક્કી થઈ શકે કોણ બનશે ગુજરાતના નવા મુખ્યમંત્રી. આવતી કાલે ભાજપે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા માટે સૂચના આપવામાં આવી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પ્રફુલ્લ પટેલનું નામ પણ ચર્ચામાં દીવ દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલનું નામ પણ મુખ્યમંત્રીની રેસમાં છે. પ્રફુલ્લ પટેલ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી રહી ચૂક્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
'5 વર્ષની ઉજવણી જ વિજયભાઈનો વિદાય સમારંભ હતો' મુખ્યમંત્રીના રાજીનામાં અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, વિજયભાઈનું મુખ્યમંત્રી પદેથી રાજીનામુ લેવામાં આવ્યું છે. 5 વર્ષની ઉજવણી જ વિજયભાઈનો વિદાય સમારંભ હતો. આનંદીબેનની જેમ વિજયભાઈને પણ કહ્યા વગર રાજીનામુ લેવાયું છે. નિષ્ફળતા સામે આક્રોશના કારણે ચહેરો બદલાવાયો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
નવા મુખ્યમંત્રીને લઇને રૂપાલાએ શું કહ્યુ? આ દરમિયાન રાજ્યના નવા મુખ્યમંત્રીને લઈ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે. રૂપાલાએ રૂપાણીના રાજીનામા બાદ કહ્યું કે, નવા મુખ્યમંત્રી અંગે આવતીકાલ સાંજ સુધીમાં ખબર પડી જશે. તે સિવાય તેમણે કશું કહેવાનું ટાળ્યું હતું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વજુભાઈ વાળાએ શું કર્યો દાવો વજુભાઈ વાળાએ એબીપી અસ્મિતા પર દાવો કર્યો કે, મીડિયામાં જેની ચર્ચા ચાલે છે તેના કરતાં ચોંકાવનારું નામ આવશે. નવા મુખ્યમંત્રી કોણ તે અંગે કોઈએ વિચાર્યું નહીં હોય તેવું નામ આવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વજુભાઈ વાળાએ શું કહ્યું વજુભાઈ વાળાએ એબીપી અસ્મિતા પર દાવો કર્યો કે, મીડિયામાં જેની ચર્ચા ચાલે છે તેના કરતાં ચોંકાવનારું નામ આવશે. નવા મુખ્યમંત્રી કોણ તે અંગે કોઈએ વિચાર્યું નહીં હોય તેવું નામ આવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સરકારની નિષ્ફળતાનો ભોગ વિજય ભાઈ બન્યા છે: અમિત ચાવડા ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજયભાઇ રૂપાણીના રાજીનામા પર કોગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે સીઆર પાટીલના કારણે પાર્ટીમાં અસંતોષનો ભોગ વિજયભાઈ બન્યા છે. સરકારની નિષ્ફળતાનો ભોગ વિજય ભાઈ બન્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગુજરાતમાં કોરોનામાં નિષ્ફળતા મળતા વિજય રૂપાણીનો ભોગ લેવાયો મુખ્યમંત્રી રૂપાણીના રાજીનામા પર વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, વિજયભાઈ જેવા સરળ માણસને ભાજપે અધવચ્ચે છોડ્યા તેનું મને દુઃખ છે. આ રાજીનામું ભાજપની આંતરિક લડાઈનું પ્રતીક છે. મંદી, મોંઘવારી અને મહામારી માટે નરેન્દ્રભાઈ અને અમિતભાઇ જવાબદાર છે. ગુજરાતમાં ફરીથી જ્ઞાતિવાદના નામે ભાગલા પડવાનું ષડયંત્ર રચાશે. કોંગ્રેસ પક્ષ પાર્ટી નહીં આંદોલન છે. ગુજરાતમાં કોરોનામાં નિષ્ફળતા મળતા વિજય રૂપાણીનો ભોગ લેવાયો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
નવા મુખ્યમંત્રી તરીકે આ નામો છે ચર્ચામાં નવા મુખ્યમંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પરષોત્તમ રૂપાલા, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગોરધન ઝડફિયાનું નામ ચાલી રહ્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આવતીકાલે ધારાસભ્ય દળની બેઠક મળશે આવતી કાલે ધારાસભ્ય દળની બેઠક મળશે. બેઠકમાં ધારાસભ્ય દળના નેતા નક્કી કરવામાં આવશે. ત્યારે હવે આવતી કાલે નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થઈ જશે. નવા મુખ્યમંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગોરધન ઝડફિયાનું નામ ચાલી રહ્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
'હું ગુજરાતની જનતાનો આભાર માનું છું' વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે હવે મને જે જવાબદારી મળશે , તે હું કરીશ. હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું. તમામ ચૂંટણીઓમાં ગુજરાતની જનતાનો ખૂબ સારો સાથ મળ્યો છે. તેમણે મંત્રી મંડળના સાથીઓ, વિધાનસભાના સાથીઓનો પણ આભાર માન્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
'હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું' રૂપાણીએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી. ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભાર છું. મેં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે.