અરવલ્લી: ભિલોડાના જનાલીમાં ગામલોકો ભૂખ હડતાલ પર ઉતરતા ચર્ચાનો વિષય બન્યો છે. હકિકતમાં 12 ગામના 20 હજાર લોકોને આરોગ્યની પુરતી સુવિધા ન મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે સમસ્યાનું નિરાકરણ લાવવા અને પોતાની માગને લઈને 50 જેટલા પુરુષ અને મહિલાઓ ભૂખ હડતાલ પર ઉતર્યા છે.  આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 2015માં મંજુર PHCનું નવું બિલ્ડીંગ 2022 સુધીમાં પણ ન બનતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. નવું બિલ્ડીંગ ન હોવાથી જર્જરિત આરોગ્ય કેન્દ્રમાં લોકો મજબુરીમાં સારવાર કરાવી રહ્યા છે. જેના કારણે અઢેરા, સુનોખ, મોટી બેબાર, શોભાયડા સહીતના ગામોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગેમાં ગ્રામજનોએ કહ્યું કે, જ્યાં સુધી માંગણી ન સંતોષાય ત્યાં સુધી ભૂખ હડતાલ ચાલું રાખશે.


સુરતમાં આગમાં 15 બાળકોના જીવ બચાવનાર બે મહિના કોમામાં રહ્યા પછી પેરેલીસિસ


SURAT : સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં 15 બાળકોના જીવ બચાવનાર જતીન નાકરાણીની સ્થિતિ હાલ ખરાબ છે. આ અગ્નિકાંડમાં 15 બાળકોના જીવ બચાવનાર જતીન નાકરાણી કોમામાં સારી પડ્યો હતો. બે મહિના સુધી કોમામાં રહ્યા બાદ હાલ જતીન કોમામાંથી બહાર આવી ગયો છે, જો કે જતીનને હજી પણ પેરાલીસીસની અસર છે. 15 બાળકોનું અમૂલ્ય જીવન બચાવનાર જતીન નાકરાણી અને તેના પરિવારની આર્થિક સ્થિતિ હાલ ખરાબ છે.  જતીન નાકરાણી પર 42 લાખની લોન છે, પણ પેરાલીસીસની સ્થિતિમાં આ લોનની ભરપાઈ કેવી રીતે થાય એ એક મોટો પ્રશ્ન છે. જતીન નાકરાણીના પરિવારે આ માટે લોકોને મદદ કરવાની અપીલ કરી છે. 


સી.આર.પાટીલે 5 લાખનો ચેક આપ્યો 
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ નવસારી સાંસદ સી.આર.પાટીલે બજરંગ નગર ખાતે આવેલા જતીન નાકરાણીના ઘરે જઈ તેની અને પરિવારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સુરત ભાજપ દ્વારા જતીનના પરિવારને 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી. તેમજ સી આર પાટીલ દ્વારા જાહેરાત કરવામાં આવી કે જતીનના ઓપરેશનના તમામ ખર્ચ માટે મદદ કરવામાં આવશે.  


જતીને બીજા માળેથી કૂદકો માર્યો હતો 
તક્ષશિલા અગ્નિકાંડમાં CID ફેશન ડિઝાઈનરના ડિરેક્ટર જતીન નાકરાણીએ એક હીરોની માફક 15 બાળકોનો જીવ બચાવ્યો હતો. આ ઘટનામાં જતીને બીજા માળેથી કૂદકો માર્યો હતો અને મગજના ભાગે ઇજા થતા જતીન યાદશક્તિ ખોઈ બેસ્યો હતો. જતીને કૂદકો મારતા તેના હાથે ફ્રેક્ચર પણ થયું હતું. ત્યાર બાદ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો  હતો.