હિંમતનગર: હાલ ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે ખેડૂતો માટે સારાં સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના 22 ગામોના ખેડૂતો માટે હાથમતી ડેમમાંથી ઈરીગેશન માટે પાણી છોડવામાં આવ્યું છે. જેનો 22 ગામોને સિંચાઈ માટે પાણીનો લાભ મળશે.


હિંમતનગર તાલુકાના 22 ગામોના ખેડૂતો માટે સારા સમાચા ર આવ્યા છે. હાથમતી ડેમમાંથી ઈરીગેશન માટે પાણી છોડવામાં આવ્યું છે. જે 22 ગામોને સિંચાઈ માટે પાણીનો લાભ મળશે. ખરીફ સિઝનની વાવણી માટે સિંચાઈ વિભાગ દ્વાર પાણી છોડવામાં આવ્યું છે.

કપાસ અને મગફળી જેવા પાકોના વાવેતર માટે પાણી છોડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. 20 જેટલા ગામોના 4000 હેક્ટર વિસ્તારમાં ખેતીના પાક માટે પાણી છોડવામાં આવ્યું છે.