Rain: ગુજરાતમાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઠેર ઠેર ઉજવણી કરાઇ રહી છે. ખેલૈયાઓ મનભરીને માતાજીના ગરબા રમી રહ્યાં છે. પરંતુ આ વખતે ફરી એકવાર આફતના વાદળો ઘેરાયા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રીમાં પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરી છે. જો વરસાદ પડશે તો ખેલૈયાની મજા બગડશે.


ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં ચોમાસાના વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હજુ પણ ચોમાસાનો વરસાદ પુરો નથી થયો, આગામી દિવસોમા એટલે કે આવતીકાલથી 12 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ જામશે, આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. ખેલૈયાની મજા બગડતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ છે. તેમના મતે આવતીકાલથી 12 ઓક્ટોબરની વચ્ચે હળવા વરસાદની શક્યતાઓ છે, આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. આગામી 16 થી 22 ઓક્ટોબર વચ્ચે હળવાથી ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે. 22 ઓક્ટોબરથી સવારમાં ઠંડીનો અહેસાસ થઇ શખે છે.


રાજ્યમાં આ ડેમ થયા ઓવરફ્લો


રાજ્યના 207 પૈકી 130 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. તો  કચ્છ-સૌરાષ્ટ્રના 108, જ્યારે મધ્ય ગુજરાતના 10 ડેમ ઓવરફ્લો થયા છે.  તો દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના ત્રણ ડેમ છલોછલ  ભરાઇ ચૂક્યાં છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 183 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે.  90 ટકાથી વધુ ભરાયેલા 163 જળાશયો હાઈએલર્ટ પર છે. જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 11 ડેમ એલર્ટ તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે.


ચોમાસાની સિઝનનો કેટલો વરસાદ વરસ્યો


ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 137.23 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ સિઝનનો 184.86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  જ્યારે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 147.07 ટકા વરસાદ વરસ્યો છે.  દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 141.08 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 132.77 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 114.55 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 


આ પણ વાંચો


'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, મુખ્યમંત્રીએ કર્યા નર્મદા નીરના વધામણા