વસંતઋતુનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે ધીરે ધીરે રાજયમાં તાપમાનનો પારો વધતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ 15 અને 16 ફેબ્રુઆરીએ વાતાવરણમાં પલટો આવી શકે છે. પૂર્વીય સમુદ્રી તટ વિસ્તારમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ દેશના દક્ષિણીય પૂર્વ તટ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસાદ કે કરાં પણ પડી શકે છે. ઉપરાંત 19 અને 21 તારીખે ફરી ગુજરાતમાં વાતવરણમાં પલટો જોવા મળશે, આ સમયે કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 21 ફેબ્રુઆરી બાદ ગુજરાતમાં તાપમાનમાં ધીરે ધીરે વધારો થતો જોવા મળશે,.