= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
નવસારી જિલ્લામાં પ્રથમ વાર કોરોનાના રેકોર્ડ બ્રેક 300 પોઝિટિવ કેસ, વધુ 2 ધારાસભ્ય પણ કોરોનાગ્રસ્ત નવસારી જિલ્લામાં પ્રથમ વાર કોરોનાના રેકોર્ડ બ્રેક 300 પોઝિટિવ કેસ આવ્યા છે. બે વર્ષનું બાળક અને આઠ કેદી પણ સંક્રમિત થયા છે.
નવસારી તાલુકામાં સૌથી વધુ 106 કેસ નોંધાયા છે. જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા ૧૦૦૭ ને પાર થઇ ગઇ છે. ઉતરાયણ બાદ કેસનો રાફડો ફાટયો છે.ય આ તબક્કે સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસે અને દિવસે વધારો થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
નવસારી જિલ્લામાં પ્રથમ વાર કોરોનાના રેકોર્ડ બ્રેક 300 પોઝિટિવ કેસ આવ્યા છે. બે વર્ષનું બાળક અને આઠ કેદી પણ સંક્રમિત થયા છે.
નવસારી તાલુકામાં સૌથી વધુ 106 કેસ નોંધાયા છે. જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા ૧૦૦૭ ને પાર થઇ ગઇ છે. ઉતરાયણ બાદ કેસનો રાફડો ફાટયો છે.ય આ તબક્કે સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસે અને દિવસે વધારો થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
ગાંધીનગર મનપામા કોરોનાની એન્ટ્રી થઇ છે. ગાંધીનગર મનપા કમિશનર અને ડેપ્યુટી કમિશનર, ટેક્સ ઓફિસર અને આરોગ્ય અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મનપા ના ઉચ્ચ અધિકારીઓ સહિત 15 થી વધુ કર્મચારીઓ સંક્રમિત થયા છે
રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય હકૂભા જાડેજા બીજી વખત કોરોના સંક્રમિત થયા છે. હકુભા જાડેજાના પત્ની અને પુત્રનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિલ આવ્યો છે.
ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અજમલજી પોઝિટિવ રિપોર્ટ બાદ થયા હોમ કોરોન્ટાઇન.
શનિવારે દૂધ સાગર ડેરી ના કાર્યક્રમમાં અજમલજી ઠાકોરે હાજરી આપી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમદાવાદમાં કોરોનાની ત્રીજી લહેર અનુસંધાને AMCએ ઓક્સિજન પ્લાન્ટ પુનઃ કાર્યરત કર્યો અમદાવાદમાં કોરોનાની ત્રીજી લહેર અનુસંધાને AMC એ ટેન્ડર બહાર પાડ્યું છે. .ટોસીલીઝુમેબ ઇન્જેક્શન માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. વીએસ,SVP અને શારદાબેન અને LG હોસ્પિટલ માટે ઇન્જેક્શનના જથ્થા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
અમદાવાદ AMC નો ઓક્સિજન પ્લાન્ટ પુનઃ કાર્યરત કરવા કરવામાં આવ્યો છે. બહેરામપુરા સ્થિત હોસ્પિટલ પરિસરમાં AMC એ ઓક્સિજન પ્લાનટ શરૂ કર્યો છે. એક ડેપ્યુટી કમિશનર અને ત્રણ આસિસ્ટન્ટ કમિશનરની સહિત 9 લોકોને જવાબદારી સોપાઈ છે. કોરોનાના કેસ વધતા ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે નિર્ણય કરાયો છે. બીજી લહેર દરમિયાન AMC એ બહેરામપુરા ખાતે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાવ્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સુરતમાં કોરોનાનો કેર યથાવત છે. પાલિકા તંત્ર પણ કોરોનાગ્રસ્ત 9 અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ સુરતમાં કોરોનાનો કેર યથાવત છે. પાલિકા તંત્ર પણ કોરોનાગ્રસ્ત થયું છે. ત્રીજી લહેરમાં અત્યાર સુધી કુલ 225 કર્મી સંક્રમિત થયા છે. હજુ કેટલાક અધિકારીઓને શરદી-ખાંસીની તકલીફ યથાવત છે. એક પછી એક નવ ચાવીરૂપ અધિકારીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યાં છે.
સુરતના વરાછા ઝોન B સીમાડા નાકા પર અમીદીપ પેટ્રોલપંપ 9 પોઝિટિવ કેસ મળતા બંધ કરાયું છે. વરાછા માં શિવાનજલી રો હાઉસ પુણા માં મુક્તિ ધામ સોસાયટીમાં ઉધના ઇસમાઇલ નગર, ગોડાદરા શુભમ રેસિડેન્સી, લીંબાયત શાંતિનગર સોસાયટી, નવાગામ ડીંડોલી શ્રીનાથ નગર જેવા વિસ્તાર ને ક્લસ્ટર જાહેર કરાયા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોરોનાના કેસ વધતા અમદાવાદત સહિત 7 મોટા સ્ટેશનમાં પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કોરોના ના વધત કેસ ને લઇને અમદાવાદ રેલવે દ્વારા મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે... પ્લેટફોર્મ ટિકિટના ભાવ ૧૦ થી વધારીને ૩૦ રૂપિયા કરી દેવામાં આવ્યા છે...કોરોનાના વધતા કેસને રોકવા માટે મુસાફર સાથે આવતા સગા સંબંધીઓ ના આવે તે હેતુ થી ભાવ વધારવામાં આવ્યો છે... જોકે અમદાવાદ નહિ પરંતુ 7મોટા સ્ટેશન પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ-કોરોનાને કારણે મુસાફરો ઘટતા રાજકોટ દિલ્લીની બે અને મુંબઇની એક ફલાઇટ રદ્દ કરાઇ.