મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યા બાદ ફરી એકવાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગનું નામ ચર્ચામાં છે. બાબા સિદ્દીકીની હત્યા લોરેન્સ બિશ્નોઈની ગેંગ દ્વારા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે. આવી સ્થિતિમાં હવે બાબા સિદ્દીકીના નજીકના સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.


પોલીસ બાબા સિદ્દીકીની હત્યાને કોન્ટ્રાક્ટ કિલિંગ માને છે


સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી પ્રોજેક્ટ સંબંધિત કેસમાં અથવા અન્ય કોઈ ધંધાકીય કેસમાં બાબા સિદ્દીકીની હત્યા કોન્ટ્રાક્ટ કિલિંગ દ્વારા કરવામાં આવી હોવાનું પ્રાથમિક રીતે પ્રકાશમાં આવ્યું છે. હાલ તો પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે, પરંતુ શું તમે જાણો છો કે આ હત્યા કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગનું નામ સામે આવી રહ્યું છે, તેને રોહિત ગોદારા ઓપરેટ કરી રહ્યો છે.


લોરેન્સ બિશ્નોઈના મિત્રએ 700 શૂટર્સની ગેંગ બનાવી છે


કારણ કે લોરેન્સ જેલમાં છે. આવી સ્થિતિમાં વિદેશમાં બેસીને રોહિત ગોદારા આખી ગેંગ ચલાવી રહ્યો છે. જેણે રાજસ્થાન સહિત અન્ય રાજ્યોના 700થી વધુ શાર્પ શૂટરોને પોતાની ગેંગમાં સામેલ કર્યા છે. રાજસ્થાન ઉપરાંત આ ગેંગનું નેટવર્ક લગભગ 10 રાજ્યોમાં ફેલાયેલું છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હાલ રોહિત ગોદારા દ્વારા દરેકને સૂચના આપવામાં આવે છે અને ત્યારબાદ ગુનો આચરવામાં આવે છે.


લોરેન્સ બિશ્નોઈનો આ ખાસ મિત્ર ક્યાંનો છે?


રોહિત ગોદારા મૂળ રાજસ્થાનના બિકાનેરનો છે. જેના પર 20 થી વધુ હત્યા અને અન્ય કેસ નોંધાયેલા છે. અગાઉ રાજસ્થાનમાં ગેંગસ્ટર રાજુ થેહટ હત્યા કેસ અને સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસની જવાબદારી પણ લોરેન્સ બિશ્નોઈની ગેંગે લીધી હતી.


મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે


જોકે, હવે મુંબઈ પોલીસ આ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે. એવી શક્યતા છે કે આજે પોલીસ આ હત્યા સાથે જોડાયેલી કેટલીક માહિતી જાહેર કરે. આ ઘટના બાદ પોલીસ ટીમ મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં સતત દરોડા પાડી રહી છે.


લૉરેન્સ બિશ્નોઈની સંપૂર્ણ કહાણી


32 વર્ષીય લૉરેન્સ બિશ્નોઈ પંજાબના ધતરનવલી ગામનો રહેવાસી છે. તેણે 12 ધોરણ સુધી અબોહરમાં અભ્યાસ કર્યો. આ પછી તે 2010માં કોલેજ માટે ચંદીગઢ ગયો હતો.


તેણે સેક્ટર 10ની ડીએવી કોલેજમાં અભ્યાસ કર્યો હતો. 2011-2 ની વચ્ચે તેઓ પંજાબ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (SOPU) ના પ્રમુખ હતો.


લોરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ પ્રથમ એફઆઈઆર હત્યાના પ્રયાસની હતી. જે બાદ એપ્રિલ 2010માં અતિક્રમણ માટે બીજી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2011 માં, બિશ્નોઈ વિરુદ્ધ હુમલો અને સેલ ફોન લૂંટનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ ત્રણેય કેસ વિદ્યાર્થી રાજકારણ સાથે જોડાયેલા છે.


વિદ્યાર્થી રાજકારણ થકી તેણે ગુનાની દુનિયામાં પ્રવેશ મેળવ્યો. ચંદીગઢ પોલીસના જણાવ્યા અનુસાર, શહેરમાં લોરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ સાત FIR નોંધવામાં આવી હતી. ચાર એફઆઈઆરમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો અને ત્રણમાં કેસ કોર્ટમાં પેન્ડિંગ છે.


બિશ્નોઈની બે વખત પૂછપરછ કરનાર એક પોલીસકર્મીએ 2022માં ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, 'તેને તેના વરિષ્ઠોની સંગતમાં રહેવું ગમતું હતું. તે હંમેશા કંઈક મોટું કરવા અને  ધૂમ મચાવવાની તૈયારીમાં રહેતો હતો.


2015 માં, લોરેન્સ બિશ્નોઈ મોહાલી નજીક પોલીસ કસ્ટડીમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો પરંતુ ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.


કોલેજના ફર્સ્ટ ઇયર પરીક્ષમાં તે પોલીસ સાથે હથકડીમા પહોચ્યો હતો


લૉરેન્સ બિશ્નોઈ બીએ ફર્સ્ટ યર પણ પાસ નહોતા થયા. 2010માં તે પરીક્ષા દરમિયાન ચિટમાંથી છેતરપિંડી કરતા ઝડપાયો હતો. તે પરીક્ષા અધિક્ષકને સોંપવા જઈ રહ્યો હતો ત્યારે તેણે તેની ઉત્તરવહી સાથે પહેલા માળની બારીમાંથી કૂદી પડ્યો. ક્રાઈમ વર્લ્ડમાં એન્ટ્રી કર્યાં બાદ તેમણે તેણે ફરીથી પરીક્ષા આપવાનું વિચાર્યું. આ વખતે તેને હાથકડી પહેરાવીને પરીક્ષા કેન્દ્ર પર લાવવામાં આવ્યો હતો. લોરેન્સે બે વાર બીએ પાર્ટ-1 પાસ કરવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયો.


લોરેંસ બિશ્નોઇનું અપરાધની દુનિયામાં કદ કેમ વધ્યું?


લોરેંસ બિશ્નોઈએ તેના કોલેજકાળ દરમિયાન ખેલાડીઓ અને પોલીસકર્મીઓના બાળકોને સાથે લઈને એક ગેંગ બનાવી હતી. એક સમયે તેઓ વિદ્યાર્થી સંગઠન, સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન ઓફ પંજાબ યુનિવર્સિટી (SOPU)ના પોસ્ટર બોય હતા.


લોરેન્સ બિશ્નોઈનું નામ 2018માં રાષ્ટ્રીય સ્તરે પ્રકાશમાં આવ્યું હતું, જ્યારે તેના નજીકના સહયોગી સંપત નેહરાની ધરપકડ કરવામાં આવી હતી. જૂન 2018 માં બેંગલુરુમાંથી ધરપકડ કરાયેલ નેહરાએ ખુલાસો કર્યો હતો કે લોરેન્સે તેને કાળિયાર શિકાર કેસમાં બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને શોધવાનું કામ સોંપ્યું હતું. લોરેન્સ બિશ્નોઈ સમુદાયનો છે. બિશ્નોઈઓ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ઘણા ભાગોમાં સ્થાયી થયા છે. બિશ્નોઈ સમુદાય કાળા હરણને પવિત્ર માને છે.


લોરેન્સ બિશ્નોઈ હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી વગેરેના બે ડઝનથી વધુ કેસનો સામનો કરી રહ્યા છે. જેલના સળિયા પાછળ હોવા છતાં, લોરેન્સ બિશ્નોઈનો પંજાબમાં મજબૂત પ્રભાવ છે. વિવિધ એજન્સીઓએ તેના પર મોટું ગુનાહિત નેટવર્ક ચલાવવાનો આરોપ લગાવ્યો છે. રાજકારણીઓ અને ઉમરાવો સાથે તેમના ગાઢ સંબંધો છે.


લોરેન્સ બિશ્નોઈનું ક્રાઈમ નેટવર્ક ગુનાહિત સંગઠન સમગ્ર ભારતમાં ફેલાયેલું છે. તેમાં 700 જેટલા સભ્યો છે.


તે કેનેડા અને અન્ય સ્થળોએ બેઠેલા પંજાબના અન્ય ગેંગસ્ટરોના સંપર્કમાં રહે છે. એક રીતે, લોરેન્સે સ્થાનિક ગુંડાઓ સાથે મળીને વૈશ્વિક ગુનાહિત નેટવર્ક બનાવ્યું છે.