મુંબઈ: મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા 3041 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 50 હજારને પાર પહોંચી છે. રાજ્યમાં 50,231 સંક્રમિત દર્દીઓ છે. રાજ્યમાં આજે વધુ 58 લોકોના મોત થયા છે.




રાજ્યમાં અત્યાર સુધીમાં 1635 લોકોનાં મોત થયા છે. આજે 1196 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 14600 કોરોનાના દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

અત્યાર સુધીમાં 3 લાખ 62 હજાર 862 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 50231 લોકો કોરોના પોઝિટિવ છે. રાજ્યમાં હાલમાં 4 લાખ 99 હજાર 387 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇનમાં છે.