નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 16116 થઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 2302 દર્દી સ્વસ્થ થયા છે. કોરોના વાયરસના કારણે દેશમાં અત્યાર સુધીમાં 519 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 1324 નવા કેસ નોંધાયા છે, જ્યારે 31 લોકોના મોત થયા છે.




દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા વધીને 1,60,685 થઈ છે. એએફપી દ્વારા સંકલિત આંકડા અનુસાર આ જાણકારી સામે આવી છે. ચીનમાં આવતા વર્ષે ડિસેમ્બરમાં આ વાયરસના સંક્રમણનો કેસ સામે આવ્યો હતો. ત્યારથી આ વાયરસથી 193 દેશો અને ક્ષેત્રમાં 2,334,130થી વધુ કેસ સામે આવ્યા છે.

અત્યાર સુધીમાં 3,86,791 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 37,173 ટેસ્ટ થયા હતા, જેમાં 29,287 ટેસ્ટ આઇસીએમઆર નેટવર્કની લેબમાં થયાં હતાં. 7,886 ટેસ્ટ ખાનગી લેબમાં થયા હતા. ડૉ રમન આર ગંગાખેડકર આઇસીએમઆરના અધિકારીએ જણાવ્યું હતું.

23 રાજ્યોના 54 જિલ્લા અને કેંદ્રશાસિત પ્રદેશમાં છેલ્લા 14 દિવસમાં કોઈ કેસ નથી નોંધાયા. દેશમાં અત્યાર સુધીમાં 2302 દર્દીઓ સાજા થયા છે.

ગોવા દેશનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે કે જ્યા કોરનાના સંક્રમણનો એક પણ દર્દી નથી. ગોવામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સાત લોકો સંક્રમિત થયા હતા, જેમાં 6 લોકો પહેલા જ સ્વસ્થ થયા હતા. આજે વધુ એક દર્દી સ્વસ્થ થવાની પુષ્ટી સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમણનો એક પણ દર્દી નથી.