India Corona Cases Today: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50 હજારથી વધુ કેસ નોંધાયા, 800થી વધુ લોકોના મોત
Coronavirus Cases Today in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50,407 નવા કેસ નોંધાયા છે, જ્યારે 804 લોકોના મોત થયા છે.
gujarati.abplive.comLast Updated: 12 Feb 2022 09:30 AM

બ્રેકગ્રાઉન્ડ
Coronavirus Cases Today in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50,407 નવા કેસ નોંધાયા છે, જ્યારે 804 લોકોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસ ઘટીને 6,10,443 થઈ ગયા છે. બીજી...More
Coronavirus Cases Today in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50,407 નવા કેસ નોંધાયા છે, જ્યારે 804 લોકોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસ ઘટીને 6,10,443 થઈ ગયા છે. બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 5,07,981 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,36,962 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાથી 5,07,981 લોકોના મોત થયા છે. તે સિવાય દેશમાં દૈનિક પોઝિટીવ રેટ 3.48 ટકા થયો છે. અત્યાર સુધીમાં દેશમાં 1,72,29,47,688 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
અત્યાર સુધીમાં લગભગ 172 કરોડ ડોઝ અપાયા
અત્યાર સુધીમાં દેશમાં 172 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઇકાલે 46 લાખ 82 હજાર 662 ડોઝ આપવામાં આવ્યા છે. ત્યારબાદ અત્યાર સુધી વેક્સિનના 172 કરોડ 29 લાખ 47 હજાર 688 ડોઝ અપાઇ ચૂકી છે.