નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાનો ખતરો સતત વધી રહ્યો છે, 21 દિવસના લૉકડાઉનની વચ્ચે સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 2500ને પાર પહોંચી ગઇ છે. જેમાં 53 લોકો મોતને ભેટી ચૂક્યા છે. સાજા થવાનો રેશિયો એકદમ નહીવત છે. અત્યાર સુધી માત્ર 179 લોકો જ સાજા થઇ ચૂક્યા છે. અહીં અમને તમને રાજ્યવાઇઝ મૃત્યુઆંક બતાવી રહ્યાં છીએ.


દેશમાં કોરોનાનો સૌથી વધુ ખતરો મહારાષ્ટ્રમાં તોળાઇ રહ્યો છે, અહીં દિવસે દિવસે સંક્રમિત લોકોની સંખ્યા અને ખાસ કરીને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. હાલની સ્થિતિ પ્રમાણે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 13 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે.



કયા રાજ્યમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા.....
મહારાષ્ટ્રમાં 13 લોકોના મોત
ગુજરાતમાં 7 લોકોના મોત
મધ્યપ્રદેશમાં 6 લોકોના મોત
દિલ્હીમાં 4 લોકોના મોત
પશ્ચિમ બંગાળમાં 3 લોકોના મોત
ઉત્તરપ્રદેશમાં 2 લોકોના મોત
પંજાબમાં 4 લોકોના મોત
તેલંગાણામાં 3 લોકોના મોત
તામિલનાડુમાં 1 લોકોના મોત
કેરલામાં 2 લોકોના મોત
કર્ણાટકામાં 3 લોકોના મોત
જમ્મુ-કાશ્મીરમાં 2 લોકોના મોત
હિમાચલ પ્રદેશમાં 1 મોત
આંધ્રપ્રદેશમાં 1 મોત
બિહારમાં 1 મોત



દેશમાં કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 328 નવા કેસો નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 339, કેરાલામાં 286, તામિલનાડુમાં 309, દિલ્હીમાં 219, આંધ્રપ્રદેશમાં 135, રાજસ્થાનમાં 133, તેલંગાણામાં 127, કર્ણાટકામાં 121, યુપીમાં 121, મધ્યપ્રદેશમાં 98 કેસો સામે આવ્યા છે.

હાલ સૌથી વધુ કોરોના સંક્રમિતોમાં મહારાષ્ટ્ર 416, તામિલનાડુ 309, કેરાલા 286 અને દિલ્હી 219 સૌથી આગળ છે.