India Corona:  કોરોનાએ ફરી એકવાર ડરાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 656 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં એક દર્દીનું મોત પણ થયું છે. જો આપણે કોરોનાના સક્રિય કેસની વાત કરીએ તો હવે દેશમાં આવા કુલ 3742 કેસ છે. શનિવારે કોરોનાના 423 નવા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં હાલમાં કોરોનાના 3420 સક્રિય કેસ છે. જ્યારે કોરોના વાયરસના કારણે 4 દર્દીઓના મોત થયા છે. કોરોનાના કેસ વધ્યા બાદ કેન્દ્ર સરકારે પણ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. તેના નિવારણ માટે આ બેઠકમાં જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી છે.


ડોક્ટરોએ પણ ચેતવણી આપી
તમને જણાવી દઈએ કે હવે ડોક્ટરો પણ લોકોને કોરોના વિશે ચેતવણી આપી રહ્યા છે. આ જ કારણ છે કે લોકોના ચહેરા પર માસ્ક ફરી દેખાવા લાગ્યા છે. કારણ કોવિડનું નવું સબવેરિયન્ટ JN.1 છે જેના કેસ વધી રહ્યા છે. પરંતુ આનાથી નર્વસ કે ડરવાને બદલે લોકોએ સાવચેત અને સતર્ક રહેવાની જરૂર છે. આ સલાહ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ડોક્ટરોએ આપી છે. ડૉક્ટર નીરજ નિશ્ચલે કહ્યું,દેશના ઘણા રાજ્યોમાં, લોકો COVID-JN.1 ના નવા સબ-વેરિઅન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે. દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે, તેથી ગભરાવાની જગ્યાએ સાવચેત રહેવાની જરૂર છે.


AIIMS દિલ્હીના મેડિસિન વિભાગના એડિશનલ પ્રોફેસર ડૉ. નીરજે કહ્યું કે અમે કહેતા આવ્યા છીએ કે આવી લહેરો આવતી રહેશે. પહેલી અને બીજી  લહેર દરમિયાન પણ, અમે આગાહી કરી હતી કે આ વાયરસ વધુ મ્યૂટેટ થશે અને એક તબક્કો આવશે જ્યાં તે વધુ ચેપી બનશે પરંતુ તે જ સમયે તેનો મૃત્યુદર પણ ઓછો હશે. તેમણે કહ્યું, 'લોકો સંક્રમિત થઈ રહ્યા છે પરંતુ તે જ સમયે તે સમસ્યાઓનું કારણ નથી જે ડેલ્ટા જેવા કોવિડના જૂના પ્રકારોને કારણે થઈ રહી હતી.


'કેસો વધે તો ગભરાશો નહીં'
ડૉક્ટરે કહ્યું, 'મહત્વની વાત એ છે કે આપણે આ વાયરસ વિશે વધુ જાગૃત છીએ અને તેની સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે જાણીએ છીએ. તેથી જો તમે કેસોમાં વધારો જોશો, તો તે દર્શાવે છે કે અમારી સર્વેલન્સ સિસ્ટમ સારી રીતે કામ કરી રહી છે અને અમે કોઈપણ નવા પ્રકોપ અથવા નવા વેરિઅન્ટને શોધી શકીએ છીએ. તેથી આ ગભરાટનું કારણ ન હોવું જોઈએ. આ બતાવે છે કે આપણે અત્યારે કેટલા સારી રીતે તૈયાર છીએ અને મને લાગે છે કે આપણે તેને સારી રીતે હેન્ડલ કરવા સક્ષમ હોવા જોઈએ.