નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર અવારનવાર મેસેજ વાયરલ થતા હોય છે. આમાંથી ઘણા મેસેજ માત્ર નકલી જ નથી પણ લોકોને ગેરમાર્ગે દોરે છે. કોરોનાની રસી અંગે સોશિયલ મીડિયા પર આવો જ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય સેનાના સૈનિકો કોરોનાની રસી લીધા બાદ બેભાન થઈ રહ્યા છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રસીને કારણે એક યુવાનનું મોત થયું છે.


વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક સેનાના જવાનો બેભાન જોવા મળી રહ્યા છે. તબીબી ટીમો તેને સારવાર આપવાનો પ્રયાસ કરી રહી છે. વાયરલ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે દેશના સૈનિકોએ રસી લીધી અને જ્યારે તેઓ દોડતા હતા ત્યારે ઘણા લોકો બેભાન થઈ ગયા. મેસેજમાં લખ્યું છે કે, સૈનિકોને ભયંકર રોગ, હાર્ટ એટેક આવ્યો હતો અને ઘણા સૈનિકો મૃત્યુ પામ્યા હતા. મીડિયા સંપૂર્ણપણે મૌન બેઠું છે. હવે મને કહો કે રસી યોગ્ય છે? આ સાથે, રસી વિશે ભ્રામક વસ્તુઓ લખવામાં આવી છે.


સરકારી પ્રસાર સંચાર સંસ્થા PIB દ્વારા આ વિડીયોની તપાસ કરવામાં આવી છે. પીઆઈબીએ ટ્વિટ કરીને લખ્યું, દાવો- આ વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે રસી લીધા બાદ ઘણા આર્મી જવાન બેહોશ થઈ ગયા. #PIBFactCheck આ વિડિયોનો કોરોના રસીકરણ સાથે કોઈ સંબંધ નથી. તાલીમ દરમિયાન, જવાનો તીવ્ર ગરમી અને ભેજને કારણે બેભાન થઈ ગયા હતા.




નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.