આ સાથે જ બાલાકોટ સ્થિત જૈશ આતંકી શિબિર પર હવાઇ હુમલામા સામેલ 9 સ્ક્વોર્ડનને સન્માનિત કરવામાં આવશે. આ સ્ક્વોર્ડનના મિરાજ 2000 ફાઇટર જેટે જૈશના અડ્ડાઓ પર હુમલો કર્યો હતો. એટલું જ નહી બાલાકોટ હવાઇ હુમલાના બાદના દિવસે પાકિસ્તાને એરિયલ અટેકનો જવાબ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર સ્ક્વોર્ડન લીડર મિતી અગ્રવાલના 601 સિગ્નલ યુનિટને પણ સન્માનિત કરવામાં આવશે.
નોંધનીય છે કે આ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ ભારતીય એરફોર્સે પુલવામામાં આતંકી હુમલા બાદ છેલ્લા 26 ફેબ્રુઆરીના રોજ બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદની ટ્રેનિંગ શિબિર પર હવાઇ હુમલો કર્યો હતો. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં 40 જવાન શહીદ થતા આખા દેશમાં શોક વ્યાપી ગયો હતો.