આ પહેલ એવા સમાચાર વહેતા થયા હતા કે, ધરપકડ રોકવા માટેની અરજી નામંજુર થયા બાદ તે આત્મસમર્પણ કરી શકે છે. ત્યાર બાદ પોલીસે તેની ઘરપકડ કરવા માટે પ્રક્રિયા ઝડપી બનાવી હતી. આ મામલાની આગામી સુનવણી 8 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ દયાશંકર વિરુદ્ધ હજરતગંજ પોલીસ સ્ટેશનમાં એસસી-એસટી અધિનિયમ મુજબ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદથી દયાશંકર ફરાર હતા. પોલીસ તેની તપાસ કરી રહી હતી. આ મામલે દયાશંકરની પત્ની સ્વાતી સિંહે પણ માયાવતી અને બસપા નેતા નસીમુદ્દીન વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાવી હતી.