સીરમ ઇન્સ્ટૂટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ લગાવી વેક્સિન, શેર કર્યો વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Jan 2021 02:52 PM (IST)
સમગ્ર ભારત માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણે કે મહિનાઓથી જે દિવસની રાહ જોવાઇ રહી હતી. તે દિવસ આખરે આવી ગયો. ભારતમાં કોરોના વેક્સિનેશનનું કામ શનિવારથી શરૂ થઇ ગયું. સીરમ ઇન્સ્ટૂટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ પણ વેક્સિન લગાવી છે અને તેનો વીડિયો શેર કરતા આટલા મોટા વેક્સિનેશન પ્લાન માટે શુભેચ્છા પાઠવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોરોના વેક્સિનેશનનો શુભારંભ કરાવ્યો છે. આ સાથે PM મોદીએ લોકોને અપીલ કરી છે કે, વેક્સિન પર ફેલાઇ રહેલી અફવા અને ભ્રમ પર ધ્યાન ન આપવું. આ સાથે પીએમ મોદીએ કોરોનાથી બચવા માટે ફરી એક મંત્ર આપ્યું છે. “ દવાઇ ભી કડાઇ ભી” તેમણે જણાવ્યું હતું કે, વેક્સિન બાદ પણ માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવું જરૂરી છે.