Aditya-L1 Mission: ભારતીય અવકાશ એજન્સી ISROના સૌર મિશન આદિત્ય L1 એ સેલ્ફી લીધી છે. આ સેલ્ફીમાં આદિત્ય L1ના ઘણા ડિવાઇસ દેખાઈ રહ્યા છે. ઈસરોએ આ વાત સોશિયલ મીડિયા પર શેર કરી છે.






આદિત્ય L1 2 સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. 128 દિવસની અવકાશ યાત્રા પૂર્ણ કર્યા પછી આદિત્ય L1 ને પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટર દૂર લેગ્રેજિયન પોઇન્ટના હેલો ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે.  આદિત્ય L1 પરના પેલોડ્સ સૂર્યપ્રકાશ, પ્લાઝ્મા અને ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરશે.


લેગ્રેજિયન પોઇન્ટ પર હેલો ઓર્બિટમાં સ્થાપિત ઉપગ્રહના ઘણા ફાયદા છે. વાસ્તવમાં અહીંથી કોઈપણ અવરોધ વિના સૂર્ય પર સતત નજર રાખી શકાય છે. અહીંથી સૂર્ય પરની ગતિવિધિઓ અને અવકાશના હવામાન પર તેની અસરનો અભ્યાસ કરવામાં આવશે. આદિત્ય L1 પરના પેલોડ્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક અને મેગ્નેટિક ફિલ્ડની મદદથી સૂર્યના ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને સૂર્યના સૌથી બહારના સ્તર કોરોનાનો અભ્યાસ કરશે. આદિત્ય L1 પરના સાત પેલોડ્સમાંથી ચાર સૂર્યનું સતત નિરીક્ષણ કરશે જ્યારે બાકીના ત્રણ લેગ્રેજિયન પોઇન્ટ પરના પરમાણુઓ અને સ્થિતિઓનો અભ્યાસ કરશે. 


આદિત્ય 110 દિવસ પછી Lagrangian-1  પોઈન્ટ પર પહોંચશે


110 દિવસની મુસાફરી પછી આદિત્ય L1 Lagrangian-1 પોઈન્ટ પર પહોંચશે. Lagrangian-1 પોઈન્ટ પર પહોંચ્યા પછી આદિત્ય L1 માં વધુ એક મેનુવર કરવામાં આવશે. જેની મદદથી આદિત્ય L1 એ L1 પોઈન્ટની ભ્રમણકક્ષામાં સ્થાપિત થશે. અહીંથી આદિત્ય L1 સૂર્યનો અભ્યાસ કરશે. આ Lagrangian-1 સૂર્યની દિશામાં પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટર દૂર છે. આદિત્ય એલ1 સાથે સાત પેલોડ મોકલવામાં આવ્યા છે, જે સૂર્યનો વિગતવાર અભ્યાસ કરશે. આમાંથી ચાર પેલોડ્સ સૂર્યપ્રકાશનો અભ્યાસ કરશે. બાકીના ત્રણ સૂર્યના પ્લાઝ્મા અને ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરશે.


કેમ ખાસ છે આદિત્ય એલ1 ?
આદિત્ય ભારત માટે ખાસ છે કારણ કે તે સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે, તેમાં 7 પેલર્સ પણ ફીટ કરવામાં આવ્યા છે, જેમાંથી 6 ભારતમાં જ બનાવવામાં આવ્યા છે. આ સાથે ભારતે પ્રથમ વખત એક એવું અવકાશયાન બનાવ્યું છે, જે આખો સમય સૂર્ય તરફ જોશે અને ચોવીસ કલાક અગ્નિને જોશે. વાસ્તવમાં, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જગ્યા આવે છે, જ્યાં બંનેની ઊર્જા અસર કરે છે અને તેઓ પોતાની તરફ ખેંચે છે.