મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા NCPને મળ્યા 24 કલાક, કોગ્રેસ સાથે કરશે વાતચીત
શિવસેના નેતા આદિત્ય ઠાકરે અને અન્ય નેતાઓ રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા છે.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 11 Nov 2019 11:36 PM
બ્રેકગ્રાઉન્ડ
મહારાષ્ટ્રમાં રાજ્યપાલે એનસીપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે....More
Mumbai: Ajit Pawar, Chhagan Bhujbal and other Nationalist Congress Party (NCP) leaders met Maharashtra Governor Bha… https://t.co/XFrSae5ydJ
મહારાષ્ટ્રમાં રાજ્યપાલે એનસીપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. થોડીવારમાં રાજ્યપાલને મળશે એનસીપીના નેતાઓ.
Ajit Pawar, NCP: At 8:30 pm the Governor called us and asked me to come to meet him. Along with Chhagan Bhujbal, Ja… https://t.co/Mrx8jNtnvQ
કોગ્રેસે મહારાષ્ટ્રના પોતાના નેતાઓ સાથેની બેઠક બાદ કહ્યું કે, શિવસેનાને સમર્થન આપવાને લઇને એનસીપી સાથે ચર્ચાની જરૂર છે. કોગ્રેસે કહ્યું કે, પાર્ટીના વરિષ્ઠ નેતા મુંબઇ જઇને એનસીપી વડા શરદ પવાર અને કોગ્રેસના નેતાઓ સાથે વાતચીત કરીશું. ત્યારબાદ કોઇ નિર્ણય લેવામાં આવશે.
Manikrao Thackeray, Congress: Neither ours nor NCP's letter has gone to #Maharashtra Governor yet. It has been deci… https://t.co/MOyjjYjNX7
Mallikarjun Kharge, Congress: We've already issued a press note & we've mentioned that we've already discussed with… https://t.co/pdzk12yEGk
Aaditya Thackeray, Eknath Shinde and other Shiv Sena leaders meet Maharashtra Governor Bhagat Singh Koshyari at Raj… https://t.co/NFDXldheAU
શિવસેનાએ રાજ્યપાલને મળી સરકાર બનાવવા માટે 2 દિવસનો સમય માગ્યો હતો, પરતું રાજ્યપાલે વધારે સમય આપવાની ના પાડી છે.
શિવસેનાને કૉંગ્રેસ-એનસીપીનો સાથ મળી ગયો છે. બે-ત્રણ દિવસમાં કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર થશે. શિવસેનાના નેતાઓ રાજ્યાપાલને મળી રહ્યા છે. સૂત્રોની જાણકારી મુજબ, શિવસેના 17 નવેમ્બરના શપથગ્રહણ કરવા માંગે છે. 17 નવેમ્બરને બાલા સાહેબ ઠાકરેની પૂણ્યતિથિ છે.
શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે રાજ્યપાલને મળવા પહોંચ્યા છે. સૂત્રો મુજબ પાર્ટી રાજ્યપાલને સરકાર બનાવવાના જવાબ આપવા માટે 24 કલાકનો સમય માંગી શકે છે. એનસીપી વરિષ્ઠ શિવસેના નેતાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે, એવામાં ઉદ્ધવ ઠાકેર યોગ્ય વિકલ્પ હશે.
શિવસેનાને કૉંગ્રેસ-એનસીપીનો સાથ મળી ગયો છે. બે-ત્રણ દિવસમાં કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર થશે. શિવસેનાના નેતાઓ રાજ્યાપાલને મળી રહ્યા છે. સૂત્રોની જાણકારી મુજબ, શિવસેના 17 નવેમ્બરના શપથગ્રહણ કરવા માંગે છે. 17 નવેમ્બરને બાલા સાહેબ ઠાકરેની પૂણ્યતિથિ છે.
Maharashtra: Shiv Sena leader Aaditya Thackeray and other leaders of the party reach Raj Bhavan, in Mumbai. https://t.co/6dL1yiMm9C
શિવસેનાને સમર્થન આપવા મુદ્દે કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ પાર્ટીના ધારાસભ્યો સાથે ફોન પર વાત કરી. કૉંગ્રેસના ધારાસભ્યોએ શિવસેનાને સમર્થન આપવાની વાત કરી છે.
સૂત્રોના મતે કોગ્રેસને સૈદ્ધાંતિક રીતે શિવસેનાને સમર્થન આપી દીધું છે. સરકારમાં સામેલ થશે કે નબીં તેનો નિર્ણય બાદમાં લેવામાં આવશે. કોગ્રેસનું સમર્થન પત્ર થોડીવારમાં રાજભવન પહોંચશે. શિવસેના નેતા અને ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરે રાજભવન પહોંચી ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં સરકાર બનવાની તસવીર સાફ થઈ રહી છે. કૉંગ્રેસ મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપીને બહારથી સમર્થન આપી શકે છે. બંને પક્ષની વિચારધારા એકદમ અલગ છે એવામાં કૉંગ્રેસ બહાર રહીને સમર્થન આપવા માંગે છે. દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મહારાષ્ટ્ર કૉંગ્રેસના મોટા નેતાઓની બેઠક ચાલી રહી છે. જયપુરમાં હાજર કૉંગ્રેસના ધારાસભ્યો સાથે સોનિયા ગાંધીએ ફોન પર વાત કરી અને બહારથી સમર્થન આપવા માટે તેમને રાજી કર્યા હતા. પરંતુ મહારાષ્ટ્ર કૉંગ્રેસના ધારાસભ્યો સરકારમાં સામેલ થવા માંગે છે.