એર ઇન્ડિયામાં લગભગ 16 હજાર કર્મચારીઓ કામ કરે છે. આમાંથી, 9600 ની આસપાસ કાયમી કર્મચારીઓ છે અને લગભગ 4200 કરાર આધારિત છે. તેમાંથી 3400 કાયમી કર્મચારીઓ 2023-24 ના નાણાકીય વર્ષમાં પણ નિવૃત્ત થશે.

Continues below advertisement

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, એર ઇન્ડિયા માટે ટાટા સન્સની બિડને મંજૂરી આપવામાં આવી છે. સત્તાવાર જાહેરાત કોઈપણ સમયે થઇ શકે છે.  હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, એર ઇન્ડિયામાં કામ કરતા સરકારી કર્મચારીઓનું શું થશે? શું તેની નોકરી યથાવત રહેશે? કેવા પ્રકારના ફેરફારો શક્ય છે? તેમને મળતી તમામ સુવિધાઓનું શું થશે?

માનવામાં આવી રહ્યું છે કે,એર ઇન્ડિયાના  નવા માલિક ટાટા ગ્રૂપને શરૂઆતમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે, સરકાર એર ઇન્ડિયાને તેમની 100 ટકા ભાગીદારી વેચી રહી છે. એર ઇન્ડિયા એક ઇન્ટરનેશનલ કરિયર છે.ઉપરાંત ઇન્ડિયન એર લાઇન્સ અને એર ઇન્ડિયા એક્સપ્રસમાં પણ સરકાર રોકાણ કરી રહી છે.  ઇન્ડિયન 2007માં મર્જર બાદ  ઇન્ડિયન્સ એરલાઇન્સનું નામ બદલીને એર ઇન્ડિયા રાખી દીધું હતું. એર ઇન્ડિયા એક્પ્રેસની શરૂઆત2005થી થઇ હતી.જે મખ્ય રીતે કેરળ અને ગલ્ફ દેશોને જોડે છે.આ ત્રણ એર લાઇન્સ સિવાય સરકાર એર ઇન્ડિયા sats એરપોર્ટમાં સર્વિસમાં પણ 50 ટકા ભાગીદારી વેચી રહી છે.

Continues below advertisement

 

એર ઇન્ડિયામાં લગભગ 16 હજાર કર્મચારીઓ કામ કરે છે. આમાંથી, 9600 ની આસપાસ કાયમી કર્મચારીઓ છે અને લગભગ 4200 કરાર આધારિત છે. તેમાંથી 3400 કાયમી કર્મચારીઓ 2023-24 ના નાણાકીય વર્ષમાં પણ નિવૃત્ત થશે.

ટાટા ગ્રૂપ માટે એર ઇન્ડિયાના 8 એમ્પ્લોયી યુનિયનને મેનેજ કરવું  મુશ્કેલ હશે, ટાટા યુનિયન માટે આ બધા જ યૂનિયનને અરપસપરસ જોડવું અને ગ્રાઉન્ડ સ્ટાફની સાથે સંપર્કને ઉત્તમ કરવું મોટો પડકાર હશે.

કર્વાર્ટર ખાલી કરવાનો આદેશ

એર ઇન્ડિયાના એમ્લોયીને કંપીની તરફથી મળતા ફેમિલી કર્વાર્ટરને ખાલી કરવાનો આદેશ આપી દેવાયો છે. 9 ઓગસ્ટે એર ઇન્ડિયા સ્પેસિફિક અલ્ટરનેટિવ મેકેનિઝ્મની મહત્વની બેઠક મળી હતી. જેમાં 6 મહિનાની અંદર કર્મચારીને કર્વાર્ટર છોડવાનો આદેશ અપાયો છે.