પટનાઃ બિહારમાં રાજકીય ગઠબંધન અને ગઠજોડ શરૂ થઇ ગયુ છે. ના એનડીએના પત્તા ખુલ્યા છે અને ના ગઠબંધનના. આ બધાની વચ્ચે તેજસ્વીને એક મોટો સહારો મળ્યો છે, આ સહારો અખિલેશ યાદવનો છે. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે જાહેરાત કરી છે કે તેની સમાજવાદી પાર્ટી બિહાર ચૂંટણીમાં નથી ઉતરી રહી, પરંતુ આરજેડીને સમર્થન કરશે. પાર્ટીના પ્રવક્તા અને એમએલી સુનિલ સિંહ સાજને કહ્યું કે બિહાર અને દેશને બચાવવા માટે બીજેપી અને તેના સહયોગીઓને હરાવવા પાર્ટીએ એ ફેંસલો કર્યો છે કે તે આરજેડીના તમામ ઉમેદવારોને સમર્થન કરશે. આ બાજુ, આરજેડીએ સમાજવાદી પાર્ટીના નિર્ણયનુ સ્વાગત કર્યુ છે, પાર્ટીના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું કે, અમે નિર્ણયનુ સ્વાગત કરીએ છીએ. તેજસ્વી યાદવની સ્વીકાર્યતા વધતી જઇ રહી છે, મહાગઠબંધનનો વ્યાપ પણ વધી રહ્યો છે. ખાસ વાત છે કે, સમાજવાદી પાર્ટીના પ્રવક્તા અને એમએસલી સુનિલ સિંહ સાજને કહ્યું કે, બીજેપીના ગઠબંધને હરાવવા અને તેજસ્વીને મુખ્યમંત્રી બનાવવા માટે સમાજવાદી પાર્ટી બિહારમાં વિધાનસભા ચૂંટણી નહીં લડે અને આરજેડીને સમર્થન કરશે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈકેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈકેલક્યુલેટ કાર લોન ઈએમઆઈકેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ