કોરોના સામેની લડાઇમાં અક્ષય કુમારે PM રીલિફ ફંડમાં 25 કરોડ રૂપિયાનું કર્યું દાન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Mar 2020 08:53 PM (IST)
તેણે ટ્વિટમાં કહ્યું કે, હાલના સમયમાં લોકોની જિંદગી આપણી પ્રાથમિકતા છે. આપણે એ તમામ કામ કરવું જોઇએ જે આપણે કરી શકીએ છીએ.
નવી દિલ્હીઃ કોરોનાના કારણે આખી દુનિયામાં ડરનો માહોલ છે. દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે જેના કારણે અનેક મજૂરો અને ગરીબ લોકોને રોજીરોટી મળી રહી નથી. એવામાં બોલિવૂડ સેલિબ્રિટિઝ મદદે આવ્યા છે. અક્ષય કુમારે કોરોના સામેની લડાઇમાં 25 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. તેણે ટ્વિટમાં કહ્યું કે, હાલના સમયમાં લોકોની જિંદગી આપણી પ્રાથમિકતા છે. આપણે એ તમામ કામ કરવું જોઇએ જે આપણે કરી શકીએ છીએ. હું 25 કરોડ રૂપિયા PM-CARES Fundમાં દાન આપવાની જાહેરાત કરું છું. અક્ષયનો આ અંદાજે લોકોના દિલ જીતી લીધા છે.