ઉલ્લેખનીય છે કે જૂની 500ની નોટો 31 ડિસેમ્બર સુધી રિઝર્વ બેંકની શાખાઓમાં બદલાવી શકાય છે.
નોટબંધી: આજથી ટોલ પ્લાઝા અને પેટ્રોલ પંપ પર નહિ ચાલે 500ની જૂની નોટ
abpasmita.in | 03 Dec 2016 08:08 AM (IST)
નવી દિલ્લી: 500 રૂપિયાની નોટો વાપરવા પર હાઈવે અને પેટ્રોલ પંપની છૂટ આજથી બંધ થઈ છે. હવેથી 500-1000ની જૂની નોટ બેંક સિવાય ક્યાંય સ્વીકારવામાં આવશે નહિ. ગઈ કાલે રાત્રે 12 વાગ્યાથી નેશનલ હાઈવે પરના તમામ ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલવાની શરૂઆત થઈ ગઈ છે. સાથે જ પેટ્રોલ પંપ અને એરપોર્ટ પર 500ની જૂની નોટ સ્વીકારવાની બંધ થઈ ગઈ છે. 500-1000ની નોટબંધી બાદ છુટ્ટા પૈસાની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને દેશના તમામ હાઈવેને 2 ડિસેમ્બર સુધી ટોલ ફ્રી કરવામાં આવ્યા હતા. હવે હાઈવે પર ટોલ ટેક્સ ફરી શરૂ થઈ ગયો છે. જ્યાં લોકો ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પણ પૈસા ચૂકવી શકશે.