Arvind Kejriwal News: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમા અરજી કરી છે. તેણે દેશની સર્વોચ્ચ અદાલતને તેમના વચગાળાના જામીન 7 દિવસ માટે લંબાવવા માટે કહ્યું છે કારણ કે તેમને મેડિકલ ટેસ્ટ કરાવવા પડશે. કેજરીવાલે તેમની અરજીમાં કહ્યું છે કે પીઈટી-સીટી સ્કેન અને અન્ય મેડિકલ ટેસ્ટ કરાવવા માટે તેમની વચગાળાની જામીન એક સપ્તાહ સુધી લંબાવવામાં આવે.






આમ આદમી પાર્ટીનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલમાં દેખાતા લક્ષણો કિડનીની ગંભીર સમસ્યા અથવા તો કેન્સર પણ સૂચવે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 21 માર્ચે દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે 1 જૂન સુધી વચગાળાના જામીન આપવાનો નિર્ણય કર્યો હતો.  તેમને 2 જૂને આત્મસમર્પણ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.






કેજરીવાલનું વજન વધી રહ્યું નથીઃઆતિશી


બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, AAP નેતા આતિશીએ કહ્યું હતું કે  "અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં તેમની વચગાળાની જામીન 7 દિવસ વધારવા માટે અરજી કરી છે. જ્યારે તેઓ ED જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા ત્યારે તેમનું વજન 7 કિલો ઘટી ગયું હતું." તેમણે કહ્યું હતું કે  "અચાનક વજન ઘટવું એ ડોક્ટરો માટે ચિંતાનો વિષય છે. કસ્ટડીમાંથી બહાર આવવા છતાં અને મેડિકલ ઓબ્ઝર્વેશનમાં હોવા છતાં તેનું વજન ફરી વધી રહ્યું નથી."






કેજરીવાલનું કીટોન લેવલ વધ્યું છેઃ આતિશી


આતિશીએ કહ્યું કે દિલ્હીના સીએમના ટેસ્ટમાં ખબર પડી છે કે તેમનું કીટોન લેવલ ખૂબ જ વધી ગયું છે. તેમણે કહ્યું, "હાઇ કિટોન લેવલ સાથે અચાનક વજન ઘટવું એ ઘણી ગંભીર બીમારીઓનું પણ સંકેત હોઈ શકે છે, જેમાં કેન્સરની સાથે કિડનીને નુકસાન પણ સામેલ છે." આતિશીએ જણાવ્યું કે ડોક્ટરોએ કેજરીવાલને સલાહ આપી છે કે તેમને તેમના આખા શરીરનું PET સ્કેન અને અન્ય ટેસ્ટ કરાવવા પડશે.


દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ કહ્યું, "આવા રોગોની વહેલી શોધ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ ઝડપથી વધતા રોગો છે. તેથી જ અમે 7 દિવસનો સમય વધારવા માટે કહ્યું છે, જેથી કેજરીવાલ આ ટેસ્ટ કરાવી શકે. તેમજ કોઈપણ દવા શરૂ કરવાની જરૂર છે, તેઓ પછી 9મી જૂને એક અઠવાડિયા પછી આત્મસમર્પણ કરી શકે છે.