નવી દિલ્હીઃ કોરોના સામે સૌથી વધુ વિકટ પરિસ્થિતિમાં મુકાયેલા દિલ્હીમાં હવે કેજરીવાલ નવો પ્લાન લઇને આવ્યા છે. કેજરીવાલે કોરોના સામે લડવા માટે નવી 5T ટેસ્ટિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કેજરીવાલના આ પ્લાનમાં કોરોના કાબુ કરવા માટે 5T એટલે કે પાંચ ટીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શું છે 5T પ્લાન..... પહેલો ટી- ટેસ્ટિંગ બીજો ટી- ટ્રેસિંગ ત્રીજો ટી-ટ્રીટમેન્ટ ચોથો ટી- ટીમ વર્ક પાંચમો ટી- ટ્રેકિંગ મહત્વનુ છે કે સીએમ કેજરીવાલે પાંચ ટીમ એટલે કોરોના સંક્રમિત લોકોનો પહેલા ટેસ્ટિંગ, બાદમાં ટ્રેસિંગ, ટ્રીટેમેન્ટ, ટીમ વર્ક અને છેલ્લે ટ્રેકિંગની કામગીરી મારફતે સારવાર આપવામાં આવશે.
હાલ દિલ્હીમાં સૌથી વધુ કપરી પરિસ્થિતિ છે, જમાતી દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દિલ્હીમાં અત્યારે 500થી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ છે, જેમાં 7 લોકોના મોત થઇ ચૂક્યા છે.