નવી દિલ્લીબળાત્કારના આરોપસર જેલમાં રહેલા આસારામના સર્મથકોએ ફરીવાર હંગામો કર્યો છે. આસારામને મેડિકલ તપાસ માટે દિલ્લીની એમ્સ હોસ્પિટલમાં લઈ જતી વખતે આસારામના સર્મથકોએ વિમાનમાં હંગામો કર્યો હતો. જાણકારી મુજબ આસારામના સર્મથકોએ અડધું વિમાન બુક કરી લીધું હતું. ફ્લાઈટ જોધપુરથી દિલ્લી જવા માટે ઉડાન ભરી એ દરમિયાન સર્મથકોએ આસારામના પગે લાગવા માટે અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો.

મીડિયાના રિપોર્ટસ મુજબ આસારામને પગે લાગવા માટે થયેલા હંગામાને કારણે વિમાનનું સંતુલન બગડ્યું અને વિમાન આગળ-પાછળ થવા માંડ્યું હતું. ત્યારબાદ પાયલોટે લોકોને બેસી જઈ સીટ બેલ્ટ બાંધવા માટે કહ્યું હતું. આસારામ સાથે 10 પોલીસવાળા પણ હતા. જોધપુરથી દિલ્લી સુધીમાં પોલીસને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.