ગુવાહાટીઃ દેશમાં હાલ જનસંખ્યા એક મોટો પ્રશ્ન બનીને ઉભો થયો છે, ત્યારે આ બધાની વચ્ચે દેશના એક નાના રાજ્યએ મોટો નિર્ણય કર્યો છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ એક મોટો ફેંસલો કર્યો છે. તેમને કહ્યું કે રાજ્યમાં બેથી વધુ બાળકોના માતા પિતાને સરકારી યોજનાઓના લાભથી વંચિત કરી શકાય છે. જોકે, પ્રસ્તાવિત જનસંખ્યા નિયંત્રણ નીતિ આસામમાં તમામ યોજનાઓ પર તાત્કાલક લાગુ નહીં થાય કેમકે કેન્દ્ર સરકાર દ્વારા કેટલાય ફાયદાઓ આપવામાં આવે છે. 


મુખ્યમંત્રીએ કહ્યું- કેટલીક એવી ઘટનાઓ છે જેના માટે અમે બે બાળકોની નીતિ લાગુ કરી શકીએ છીએ, જેમે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સ્કૂલો અને કૉલેજો, કે ઘરેમાં મફત પ્રવેશ પ્રાપ્ત કરવો. પરંતુ કેટલીક યોજનાઓના કેસોમાં, માની લો કે જો રાજ્ય સરકાર દ્વારા એક આવાસ યોજના શરૂ કરવામાં આવે છે, તો બે બાળકોના માપદંડને રજૂ કરવામાં આવી શકે છે. ધીમે ધીમે બાકીના તબક્કાઓમાં દરેક રાજ્ય સરકારની યોજનાઓમાં જનસંખ્યા આવી જશે. 


10 જૂને, સરમાએ ત્રણ જિલ્લાઓમાં બદખલી વિશે વાત કરી હતી અને અલ્પસંખ્યક સમુદાયમાંથી ગરીબીને ઓછી કરવા માટે જનસંખ્ય નિયંત્રણ માટે 'સભ્ય પરિવાર નિયોજન નીતિ' અપનાવવા માટે આગ્રહ કર્યો હતો. જેનાથી રહેવાની જગ્યા ઓછી થઇ જાય છે. તેમને પ્રવાસી મુસ્લિમ સમુદાય પર મોટા પરિવારો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. સમુદાયને મજબૂત આધાર વાળા એઆઇયુડીએફ સહિત જુદાજુદા પ્રકારની તીખી પ્રતિક્રિયાઓ પ્રાપ્ત કરી રહ્યાં હતા. 


આસામમાં વર્તમાનમાં આસામ પંચાયત અધિનયમ, 1994માં 2018માં એક સંશોધન અનુસાર પંચાયત ચૂંટણી લડવા માટે ન્યૂનત્તમ શૈક્ષણિક યોગતા અને કાર્યાત્મક સ્વચ્છતા શૌચાલચની આવશ્યકતાઓની સાથે બે બાળકોનુ માપદંડ છે.  ખાસ વાત છે કે, આ રાજ્યમાં બે સંતાનોની નીતિ અંગે મુખ્યમંત્રીએ નિવેદન આપ્યુ છે, પરંતુ હજુ આ નીતિ આસામમાં તમામ સરકારી યોજનાઓ પર લાગુ નહીં થાય, તેના માટે તબક્કાવાર યોજનાઓ બનાવવામાં આવશે, અને ધીમે ધીમે લાગુ કરાશે.