કોલકત્તાઃ પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના બીજા કાર્યકાળમાં પ્રથમવાર કેબિનેટમાં ફેરફાર કર્યા છે. તેને ધ્યાનમાં રાખી કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું. આસનસોલથી સાંસદ સુપ્રિયોએ ફેસબુક પોસ્ટ પર આ વાતની જાણકારી આપી છે. આ પોસ્ટમાં રાજીનામુ આપવા પર તેમનું દુખ પણ સામે આવ્યુ છે. તેમણે કહ્યું કે, મને રાજીનામુ આપવા માટે કહેવામાં આવ્યું અને મેં આપી દીધું છે.


બાબુલ સુપ્રિયોએ મંત્રી પરિષદમાં સ્થાન આપવા માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, તે ખુશ છે કે તેમના ઉપર ભ્રષ્ટાચારના એકપણ દાગ નથી. તે પોતાના સંસદીય ક્ષેત્રના લોકોની સતત સેવા કરી રહ્યાં છે. સુપ્રિયોએ પોતાની પોસ્ટમાં લખ્યુ- જ્યારે ધુમાડો ઉઠે છે તો ક્યાંક ને ક્યાંક આગ જરૂર હોય છે. હું ખુદ તમને કહેવા ઈચ્છુ છું કે મેં મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે. મને આમ કરવા માટે કહેવામાં આવ્યું અને મેં કરી દીધું.


બાબુલ સુપ્રિયોએ નવા મંત્રીમંડળમાં બંગાળથી સામેલ થનારા ચહેરાને શુભેચ્છા પણ આપે છે. તેમણે લખ્યુ છે કે બંગાળથી મંત્રીમંડળમાં સામેલ થવા જઈ રહેલા નવા સાથીઓને ખુબ ખુબ શુભેચ્છા. હું મારા માટે જરૂર દુખી છું પરંતુ તે લોકો માટે ખુશ છું.


ઉલ્લેખનીય છે કે, બાબુલ સુપ્રિયોએ 2014 અને 2019માં પશ્ચિમ બંગાળમાં આસનસોલ બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતી હતી. અ્ને તેઓ 2014માં કેન્દ્ર સરકારમાં રાજય કક્ષાના મંત્રી બન્યા હતા. બાબુલ સુપ્રિયો મોદી મંત્રીમંડળમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી હતા.



બાબુલ સુપ્રિયો સિવાય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, એચઆરડી મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, સંતોષ ગંગવાર, દેબોશ્રી ચૌધરી, ડીવી સદાનંદ ગૌડા, સંજય ધોત્રે અને રાવ સાહેબ દાનવેએ પણ રાજીનામુ આપ્યું છે. તો થાવરચંદ ગેહલોતને મંગળવારે કર્ણાટકના રાજ્યપાલ બનાવી દેવામાં આવ્યા હતા.