Badlapur Sexual Assault:  મહારાષ્ટ્રના બદલાપુરમાં સ્કૂલમાં બે બાળકીઓના જાતીય શોષણની ઘટના બાદ ખળભળાટ મચી ગયો છે. ઘટના બાદ લોકો રોષે ભરાયા હતા અને રેલવે ટ્રેક બ્લોક કરી દીધો હતો. શાળામાં તોડફોડ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ઈન્ટરનેટ બંધ કરાયુ હતું. આ સમગ્ર મામલે વિરોધ પ્રદર્શન કરી રહેલા લગભગ 300 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ પછી પોલીસે 40 થી વધુ લોકોની ધરપકડ કરી છે. થાણે પોલીસનું કહેવું છે કે ધરપકડ કરાયેલા લોકોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Continues below advertisement

આ ઘટના અંગે સેન્ટ્રલ રેલવે જીઆરપીના ડીસીપી મનોજ પાટીલે કહ્યું કે સ્થિતિ સામાન્ય છે. રેલવેની અવરજવર પણ સામાન્ય છે. હવે કોઈ કલમ લાગુ કરવામાં આવી નથી. ઈન્ટરનેટ સેવાઓ થોડા દિવસો માટે સ્થગિત રહેશે, જેથી અફવાઓ ન ફેલાય.

પોલીસના જણાવ્યા અનુસાર, 13 ઓગસ્ટે શાળાના ટોઇલેટમાં સફાઇ કર્મચારીએ બે બાળકીઓનું જાતીય શોષણ કર્યું હતું. એક પીડિતાએ તેના માતા-પિતાને 16 ઓગસ્ટે આ ઘટના વિશે જણાવી ત્યારે તેનો ખુલાસો થયો હતો. આરોપી અક્ષય શિંદેની 17 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. જાતીય સતામણી કેસમાં આરોપી અક્ષય શિંદેને કલ્યાણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, તે દરમિયાન મીડિયાને કોર્ટ પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

Continues below advertisement

NCP (SCP) સાંસદ સુપ્રિયા સુલેએ પાર્ટીના કાર્યકરો સાથે બદલાપુર ઘટનાને લઇને મહારાષ્ટ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઘટનાની જાણ થતા મંગળવારે હજારો લોકો બદલાપુર રેલવે સ્ટેશન પર એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે 12 એક્સપ્રેસ અને મેલ ટ્રેનોના રૂટ બદલવા પડ્યા હતા. 30 લોકલ ટ્રેનોને આંશિક રીતે રદ કરવી પડી હતી અને કેટલીક લાંબા અંતરની ટ્રેનોના રૂટ પણ બદલવામાં આવ્યા હતા.

બદલાપુરમાં વિરોધ હિંસક બન્યો હતો અને ગુસ્સે થયેલા લોકોએ પથ્થરમારો કર્યો અને શાળામાં તોડફોડ કરી હતી. પોલીસે નવ કલાક પછી લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યું હતું.

પીડિત બાળકીઓના માતા-પિતાનો આરોપ છે કે પોલીસે 12 કલાક પછી તેમની ફરિયાદ નોંધી હતી.  સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે સ્કૂલમાં લાગેલા સીસીટીવી કામ કરી રહ્યા નથી. આ ઘટના બાદ સ્કૂલ મેનેજમેન્ટે પ્રિન્સિપાલ, ક્લાસ ટીચર અને એક મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા છે. આરોપી અક્ષય શિંદેની નિમણૂક 1 ઓગસ્ટના રોજ કોન્ટ્રાક્ટ પર કરવામાં આવી હતી. આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકારે આ મામલાની તપાસ માટે વરિષ્ઠ IPS અધિકારી આરતી સિંહની અધ્યક્ષતામાં SITની રચના કરવાનો આદેશ આપ્યો છે.