નવી દિલ્હીઃ લોકડાઉનને લઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. બજાજ ઓટોના એમડી રાજીવ બજાજ સાથે વાતચીત દરમિયાન રાહુલે કહ્યું કે, નિષ્ફળ લોકડાઉન બાદ કેન્દ્ર સરકારે પાછી પાની કરી છે. લોકડાઉનથી અર્થતંત્રને ઘણું નુકસાન પહોંચ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, લોકડાઉનથી કરોડો મજૂરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.


રાહુલ ગાંધી અને રાજીવ બજાજ વચ્ચે દેશના માહોલ પર પણ વાતચીત થઈ. આ દરમિયાન રાહુલે કહ્યું, આ ઘણું વિચિત્ર છે. મને નથી લાગતું કે કોઈએ કલ્પના પણ કરી હશે કે વિશ્વને આ રીતે બંધ કરી દેવાશે. વિશ્વ યુદ્ધ દરમિયાન પણ તમામ ચીજો ખુલી હતી. આ એક અનોખી અને વિનાશકારી ઘટના છે.


ઉદ્યોગપતિ રાજીવ બજાજે કહ્યું, કોરોના સંકટનો સામનો કરવા સંદર્ભે ભારતે પશ્ચિમના દેશો તરફ જોયું અને લોકડાઉન કરવાનો પ્રયાસ કર્યો. જેનાથી સંક્રમણ તો ન અટક્યું પણ અર્થતંત્ર તબાહ થઈ ગયું. લોકડાઉનથી અર્થતંત્રને મોટી અસર થઈ છે અને લોકો ડરી ગયા છે.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">People still think infection means death, it is a herculean task to open up. To get this fear out of the mind of people there has to be a clear narrative from PM because when he says something people seem to follow: Rajiv Bajaj, MD Bajaj Auto in conversation with Rahul Gandhi <a rel='nofollow'>pic.twitter.com/A7jKEBSgFT</a></p>&mdash; ANI (@ANI) <a rel='nofollow'>June 4, 2020</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>
બજાજે એમ પણ કહ્યું, જાપાન, અમેરિકા, યૂરોપ, સિંગાપોર જેવા અનેક દેશોમાં અમારા મિત્રો છે. આઉપરાંત વિશ્વના અનેક દેશો સાથે વાત થાય છે. ભારતમાં જે પ્રકારનું લોકડાઉન થયું તેવું વિશ્વમાં ક્યાંય થયું નથી. વિશ્વના અનેક દેશોએ હંમેશા લોકોને બહાર નીકળવાની મંજૂરી આપી હતી પરંતુ આપણે ત્યાં સ્થિતિ અલગ હતી.