આવતી કાલે ભારત બંધઃ GST, પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત અને ઈ-વે બિલના વિરોધમાં પ્રદર્શન કરશે 8 કરોડ વેપારી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Feb 2021 11:59 AM (IST)
40 હજારથી વધારે ટ્રેડર્સ એસોસિએશન ભારત બંધમાં ભાગ લેવાના હોવાથી દેશભરમાં તમામ વેપારી બજાર બંધ રહેશે.
દેશમાં સતત પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત, ગુડ્સ અને સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી, ઈ-બિલને લઈને વેપારી સંસ્થા ધ કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ તરફથી શુક્રવારે ‘ભારત બંધ’ની જાહેરાત કરવામાં આવી છે. દેશભરના 8 કરોડ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરનાર અંદાજે 40 હજાર ટ્રેડ એસોસિએશન્સને કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી) તરફથી 26 તારીખના રોજ જાહેર કરવામાં આવેલ ભારત બંધનું સમર્થન કર્યું છે. આ બંધ જીએસટીની જોગવાઈઓની સમીક્ષાની માગને લઈને કરવામાં આવી રહ્યું છે. ઈ-વે બિલને ખત્મ કરવાને લઈને ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન (એઆઈટીડબલ્યૂ)એ પણ કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ તરફથી કરવામાં આવેલ ભારત બંધનું સમર્થન કર્યું છે. 40 હજારથી વધારે ટ્રેડર્સ એસોસિએશન ભારત બંધમાં ભાગ લેવાના હોવાથી દેશભરમાં તમામ વેપારી બજાર બંધ રહેશે. પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ પર પણ તેની અસર પડી શકે છે કારણ કે ટ્રાન્સપોર્ટ્સ એસોસિએશને પણ તમામ ટ્રાન્સપોર્ટ કંપનીઓને કહ્યું છે કે, તે સાંકેતિક પ્રદર્શન તરીકે પોતાની ગાડીઓને સવારે 6થી લઈને રાત્રે 8 સુધી બંધ રાખશે. જોકે, રિપોર્ટ્સ અનુસાર ભારત બંધ દરમિયાન ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (એઆઈએમટીસી) અને ભાઈચારા ઓલ ઇન્ડિયા ટ્રક ઓપરેટર વેલફેર એસોસિએશન (બીએઆઈટીઓડબલ્યૂએ) તેમાં ભાગ નહીં લે.