Bihar Political Crisis: બિહારમાં નવમી વખત નીતિશ સરકાર, જાણો કોણે કોણે લીધા મંત્રીપદના શપથ?

Bihar Political Crisis: નીતિશ કુમાર ફરી એકવાર અને બિહારના નવમી વાર મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે

gujarati.abplive.com Last Updated: 28 Jan 2024 05:59 PM

બ્રેકગ્રાઉન્ડ

Bihar Political Crisis:  બિહારની રાજનીતિમાંથી વધુ એક મોટું અપડેટ સામે આવ્યુ છે. નીતિશ કુમાર ફરી એકવાર અને બિહારના નવમીવાર મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. તેઓ રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળ્યા...More

નીતિશે શપથ લેતાની સાથે જ કોંગ્રેસે બિહારમાં ફ્લોર ટેસ્ટની માંગ કરી

બિહારમાં નીતિશ કુમારે રવિવારે (28 જાન્યુઆરી) 9મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ પછી તરત જ કોંગ્રેસે વહેલી તકે વિશ્વાસ મતની માંગ કરી છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું કે જેડીયુના ઘણા ધારાસભ્યો નારાજ છે અને ફ્લોર ટેસ્ટમાં બધું સ્પષ્ટ થઈ જશે. તેમણે કહ્યું કે બિહારની જનતા નીતિશ કુમારને સીએમ તરીકે જોઈને અપમાન અનુભવી રહી છે. પૂર્ણિયામાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં 18 ધારાસભ્યો હાજર રહ્યા હતા. સુપરવાઈઝર ભૂપેશ બઘેલે જણાવ્યું કે એક ધારાસભ્ય તબિયતના કારણે આવી શક્યા નથી. તમામ ધારાસભ્યો એક થઈ ગયા છે. નીતિશ કુમારે આત્મઘાતી પગલું ભર્યું છે. 400ને પાર કરવાના ભાજપના દાવાનો પર્દાફાશ થયો છે.