બિહારના સચદેવા હત્યાકાંડમાં સુપ્રીમ કોર્ટે રૉકી યાદવના જામીન રદ્દ કર્યા, મોકલ્યો જેલ
abpasmita.in | 29 Oct 2016 03:51 PM (IST)

ગયા: બિહારના ખૂબ જ ચર્ચિત સચદેવા હત્યાકાંડના મુખ્ય આરોપી રાકેશ રંજન ઉર્ફ રૉકી યાદવે સ્થાનિક અદાલતમાં આત્મસર્મપણ કરી દિધુ છે, ત્યારબાદ તેને જેલ મોકલી દેવામા આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાંથી શુક્રવાર જામીન રદ્દ થતા રૉકી યાદવે જિલ્લાની સ્થાનિક અદાલતમાં આત્મસર્મપણ કરી દિધુ છે. તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે તેના જામીન રદ્દ કરાતા શુક્રવારે જ પોલીસ તેની ધરપકડ કરવા માટે એપી કૉલોની સ્થિત તેના ઘરે ગઈ હતી પરંતું તે ઘરે હાજર ન હોવાથી પોલીસે ખાલી હાથ પાછુ ફરવું પડ્યું હતું. ઉલ્લેખનિય છે કે 7 મે ના રોજ તેની નવી લેંડ રોવર ગાડીમાં જઈ રહ્યો હતો ત્યારે તેના આગળ નિકળવા માટે આદિત્ય સચદેવા અને તેના મિત્રો સાથે ઝઘડો થયો હતો જેમાં રૉકીએ આદિત્ય સચદેવાની ગોળી મારી હત્યા કરી હતી. આ મામલે 10 મે પોલીસે રૉકીની ધરપકડ કરી હતી. આ મામલે 19 ઓક્ટોબરે પટના હાઈકોર્ટે રૉકીને જામીન આપી દિધા હતા. ત્યારબાદ બિહાર સરકારે જામીનના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે રૉકી યાદવના જામીન રદ્દ કરી તાત્કાલિક તેની ધરપકડના આદેશ આપ્યો હતો.