IMD : ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું શરૂ કર્યું છે. આ વાવાઝોડું આજે રાત્રે કચ્છ જિલ્લાના જખૌ બંદર નજીક ભારે વિનાશ સર્જી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું હતું કે, આ વાવાઝોડાની ઝડપ મહત્તમ 140 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. તેની આડઅસરથી બચવા માટે ગુજરાત ઉપરાંત અન્ય કેટલાક રાજ્યોએ પણ તૈયારી કરી લીધી છે.


હવામાન શાસ્ત્રીઓનું અનુમાન છે કે, લેન્ડફોલ કર્યા પછી ચક્રવાતની ગતિ ઘટશે. તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધતા પહેલા દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનને અસર કરશે. ચક્રવાતને કારણે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે આપી છે. 


દિલ્હીમાં થશે ભારે વરસાદ 


IMDનું કહેવું છે કે, ચક્રવાત બિપરજોયની દિલ્હી-એનસીઆરમાં વધુ અસર થવાની અપેક્ષા નથી. જો કે આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. તોફાનના કારણે દિલ્હીમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે.


મધ્ય પ્રદેશમાં પણ જોવા મળશે અસર


ચક્રવાતી તોફાન બિપરજોયથી બચવા માટે મધ્ય પ્રદેશના શહડોલ, જબલપુર, ભોપાલ અને નર્મદાપુરમમાં કેટલીક જગ્યાએ વીજળી પડવાની સંભાવના છે. જેથી આગામી 24 કલાક દરમિયાન ખંડવા, ખરગોન, બરવાની, બુરહાનપુર, સાગર, ઝાબુઆ, ઉજ્જૈન, રીવા, સતના અને છતરપુર જિલ્લામાં સમાન હવામાન પ્રવર્તે તેવી શક્યતા છે.


ખંડવા, બુરહાનપુર, ખરગોન, સાગર, રીવા, સતના, છતરપુર, રાયસેન, ભોપાલ અને સિહોર જિલ્લામાં ભારે પવન સાથે વાવાઝોડાની સંભાવના છે. બીજી તરફ ધાર, બાલાઘાટ અને રતલામ જિલ્લામાં કેટલીક જગ્યાએ ગરમીનું મોજું આવવાની શક્યતા છે.


ગોવામાં બિપરજોયનો પ્રભાવ


ચક્રવાતી તોફાનની અસર ગોવામાં પહેલાથી જ દેખાઈ રહી છે. જેના કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. હાલમાં પર્યટકોને દરિયાકિનારા પર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


રાજસ્થાનના આ જિલ્લાઓમાં પલટાશે હવામાન 


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન બિપરજોયની અસરને કારણે રાજસ્થાનના જોધપુર અને ઉદયપુર ડિવિઝનમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 16 જૂને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું હતું કે, 17 જૂન સુધી જોધપુર, ઉદયપુર અને અજમેર ડિવિઝન અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.


શું છે IMDની ચેતવણી?


આઇએમડીએ જણાવ્યું કે બિપરજોય ચક્રવાતી તોફાન તરીકે 145 કિમી પ્રતિ કલાકની ઝડપે લેન્ડફોલ કરશે. IMDએ કહ્યું હતું કે, આ ચક્રવાતી તોફાન બિપરજોય સંપૂર્ણપણે અલગ છે. પરંતુ આ વર્ષે વિલંબિત ચોમાસા પર તેની કોઈ નકારાત્મક અસર નહીં થાય. IMDએ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.