નવી દિલ્હી: રાફેલ મામલે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણય પર કરેલી ટિપ્પણીને લઈ રાહુલ ગાંધી સામે ભાજપ દ્વારા અવમાનનાની અરજી કરવામાં આવી છે. નવી દિલ્હીના ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ અરજીમાં આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ કાર્ટે આપેલા નિર્ણય પર ખોટી ધારણા પેદા કરવાનો પ્રયાસ કર્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે આ મામલે 15 એપ્રિલે સુનાવણી થશે.


મીનાક્ષી લેખીના વરિષ્ઠ વકિલ મુકુલ રોહતગીએ કોર્ટની પીઠને જણાવ્યું કે કૉંગ્રેસ અધ્યક્ષે કથિત રીતે ટિપ્પણી કરી છે કે ‘સુપ્રીમ કોર્ટે પણ કહીં દીધું છે કે ચોકીદાર ચોર છે.’રાહુલ ગાંધીએ અમેઠી સંસદીય સીટ પર ઉમેદવારીપત્ર ભર્યા બાદ આ નિવેદન આપ્યું હતું.

‘ચૂંટણી બોન્ડ’ પર SCનો મોટો નિર્ણયઃ 30 મે સુધીમાં દાનની વિગતો આપે રાજકીય પાર્ટીઓ

કોંગ્રેસ હાઇકમાન્ડ એક્શનમાં, અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ કરી શકે છે સસ્પેન્ડ, જાણો કારણ

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવને કેમ આવ્યું દિલ્લીનું તેડૂ? જાણો વિગત

આ પહેલા રક્ષામંત્રી સીતારમણે પણ બુધવારે રાહુલ ગાંધીની ટિપ્પણી પર પલટવાર કરતા કહ્યું હતું કે રાહુલે કોર્ટના નિર્ણયનો અનાદર કર્યો છે. જે વ્યક્તિ પોતે જામીન પર છે તેને કોર્ટના નિર્ણયથી દેશને ગુમરાહ કરવાનો અધિકાર કોણે આપ્યો ? સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર સવાલ નથી ઉઠાવ્યા, કોર્ટની આજ્ઞાનું પાલન કરીશું.

લોકસભા ચૂંટણી પહેલા ભાજપને લાગ્યો મોટો ઝટકો, પબુભા માણેકનું ધારાસભ્ય પદ થયું રદ, જુઓ વીડિયો